આજની શિક્ષણ વ્યવસ્થા સામે ઘણાં પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. સમગ્ર શિક્ષણ વ્યવસ્થા આધુનિક યુગ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવી છે પરંતુ વિદ્યાર્થી પક્ષે આ શિક્ષણ વ્યવસ્થા ફાયદાકારક પણ અને ગેરમાર્ગે પણ દોરી રહી છે. જેમાં વિદ્યાર્થીને સતત પરિશ્રમ કરવો પડે છે. પ્રાચીન સમયમાં મળતું શિક્ષણ અને આજના શિક્ષણમાં ઘણાં ફેરફાર થયા છે. સતત અભ્યાસ બાળકને મુશ્કેલીમાં મુકી રહ્યો છે. શિક્ષણને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. છતાં વિદ્યાર્થીઓ તે વ્યવસ્થાથી સંતોષ મેળવી રહ્યા નથી. માત્ર અભ્યાસ કરવા ખાતર અભ્યાસ કરી રહ્યા હોય તેવી આ શિક્ષણ વ્યવસ્થા છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ અટકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થી જીવનમાં તે પોતાના સ્વ વિકાસ સાધી શકે છે. જ્યારે આ શિક્ષણ વ્યવસ્થા સામે વિદ્યાર્થી સ્વ વિકાસ ભૂલી જઈને માત્ર તે અભ્યાસ કરે છે. તેમાં પણ પૂરતો અભ્યાસ નહીં થતો. આજના યુગનો વિદ્યાર્થી માત્ર અભ્યાસ કરે છે. તેને પોતાના ક્ષેત્રમાં સ્વ વિકાસ કરવા માટે પૂરતો સમય નથી. સેમેસ્ટર પદ્ધતિ એ શિક્ષણને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે તેનો અમલ થયો છે. પરંતુ વિદ્યાર્થી પક્ષે આ પદ્ધતિ એક દુઃખદ સાબીત થઈ રહી છે. આજે અખબારમાં વિદ્યાર્થીઓના અવારનવાર મૃત્યુના લેખો પ્રગટ થતા હોય છે. તો તે વિદ્યાર્થીઓ કદાચ આ વ્યવસ્થાથી પણ કંટાળી ગયા હોય... અને શાળા કે વાલીઓ તરફથી આપવામાં આવતો વધૂ પડતો ભાર.... વાલીઓની અપેક્ષા વધુ હોય છે કે પોતાનું બાળક શાળામાં પ્રથમ ક્રમાંકે આવે... શાળામાંથી શિક્ષકો દ્વારા અાપવામાં આવતું ભારણ.. આથી બાળક મુંઝાય જાય છે... કે પોતે શું કરે? સવારે 6 વાગ્યાથી બાળક જાગીને 7 વાગે શાળાએ જાય અને 12 વાગ્યે શાળાએથી છૂટીને તે ઘરે જાય અને જમીને 2 વાગ્યે ટ્યૂશન તરફની વાટ પકડે છે.. 2 થી 3 કલાકના ટ્યૂશનમાં પોતાનો સમય વિતાવે છે.. પછી ઘરે આવે છે અને શાળા અને ટ્યુશનનું ગૃહકાર્ય કરતો હોય છે. તો તેની પાસે રમવાનો સમય કેટલો? આનંદપ્રમોદ કરવાનો સમય કેટલો? વાલીઓની ફરિયાદ હોય છે કે પોતાનું બાળક ઘરે અભ્યાસ કરતા નથી. પણ તેને કોઈ દિવસ એમ કહ્યું કે જા બેટા રમવા જા, તારી ઈચ્છા પુરી કરી, ક્યારેક કોઈ વાલીએ કહ્યું હશે ખરું?! હા, કેટલાક સમજદાર વાલીઓએ જરૂર કહ્યું હશે, કારણ કે તેના બાળકનો ઉછેર કેવી રીતે કરવું છે તે સારી રીતે જાણે છે. પણ કેટલાક વાલીઓ બાળકને પેહલેથી જ ધાક જમાવતા હોય છે. અને તેની ઉપર વધૂ પડતી અપેક્ષાઓ, વધૂ પડતો ભાર મૂકવામાં આવતો હોય છે. આથી બાળકની ઈચ્છોઓ અધૂરી રહી જતી હોય છે... આજે સ્વનિર્ભર શાળા હોય કે સરકારી શાળા હોય તેમાં શિક્ષણ આપવાનું જ કાર્ય થાય છે... તેની સાથે બાળકનો વિકાસ સાધવાનો છે.. વિદ્યાર્થીનો વિકાસ એજ શિક્ષણ વ્યવસ્થાનો હેતુ છે. છતાં વિદ્યાર્થીને માત્રને માત્ર શિક્ષણમાં જ ધ્યાન આપવાનું તેના મગજ પર ઠોકી બેસાડવામાં આવે છે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓને સામેલ કરવાથી બાળક તે પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહે છે. જેથી તે પરીક્ષાના સમયે પોતે તૈયારી કરતો જોવા મળે છે યા તો રમતના સમયે તે રમતની તૈયારી કરતો જોવા મળે છે. સ્વનિર્ભર શાળાઓએ પોતે સ્પર્ધામાં આવવું છે. શાળાના સંચાલકોએ વધુ કમાવવાની લાલચમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાની જેમ શાળાના વર્ગખંડમાં ભરી દેશે. પછી ત્યા રહેલા શિક્ષકો પર દબાણ આપશે દરેક વિદ્યાર્થીઓના 100 ટકા રિઝલ્ટ આવવું જોઈએ. પરંતુ માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા વધારીને શાળાનું નામ રોશન નહીં થાય. શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે વિદ્યાર્થીઓને દરેક પ્રવૃત્તિની સાથે શિક્ષણ આપવું એ પ્રથમ ઉદ્દેશ્ય હોવું જોઈએ. વાસ્તવિકતા એ છે કે ખાનગીકરણે આજે શિક્ષણને ઉથલાવી મૂક્યું છે. જેમાં સરકારનો પણ વાંક છે... જો સરકાર ધારે તો જાપાનની જેમ દરેક શાળામાં શિક્ષણ આપી શકે છે...
ખાસ તો અવાર નવાર વિદ્યાર્થીઓના ફાંસો ખાઈને મૃત્યુ પામવું, ઝેરી દવા પીને, કેરોસીન છાંટીને સળગીને મૃત્યુ પામવું એવા અખબારમાં સમાચાર પ્રસિદ્ધ થતા હોય છે. શિક્ષકના અત્યાચાર સહન ન કરી શકનારા વિદ્યાર્થીઓનું મૃત્યુ એ દુઃખદ કારણ બની ગયું છે. તેથી આ શિક્ષણ વ્યવસ્થા વિશે ખૂબ જ મોટા પહાડ જેવા પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે. આ શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે જીવલેણ બની ગઈ છે. એવું હું કહી શકું છું.... આ શિક્ષણ વ્યવસ્થાને સારી રીતે સમજીને શિક્ષણ આપવું તેમજ વિદ્યાર્થીના માતા-પિતાની સમજ તેમજ પ્રોત્સાહન બાળકને અતિઆવશ્યક બની ગયું છે....