સરકારી શૈક્ષણિક સંસ્થામાં રાષ્ટ્રગીતનું સન્માન કેટલું જળવાઈ છે તે ઓચિંતા મુલાકાત લો ત્યારે જ ખબર પડે. ત્યાંના કેટલાક કર્મચારીને 52 સેકન્ડ ઊભા રહેવાની તકલીફ પડે છે. તેના મનમાં તો એમ જ હોઈ છે કે મને તો શું લાગે વળગે.. સરકાર એમ પણ પગાર આપવાની જ છે... હું ઊભો રહું કે ના રહું મહિનો પૂરો થાય એટલે પગાર બેંકખાતામાં જમા થઈ જશે. પણ રાષ્ટ્રીય મૂલ્યો જ ભૂલી જનારા સરકારી કર્મચારી કેટલા? જો રિસર્ચ કરવામાં આવે તો મોટે ભાગે સરકારી કર્મચારીઓ આવી રીતે રાષ્ટ્રગીત ગવાતું હોઈ તો પણ તેઓ 'ગમે તે કામ' કરતા જોવા મળશે. તો રાષ્ટ્રગીત માત્ર ને માત્ર સ્વતંત્ર દિવસ અને ગણતંત્ર દિન પૂરતો જ મર્યાદિત રહી જાય. હવે તો થિયેટરમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રીય ગાન ગવાતું હોય છે. ત્યાં પણ જે સન્માન જળવાતું નથી. પહેલ સારી છે પરંતુ લોકોમાં જ્યાં સુધી પોતે જ પોતાની જાતને સુધારે નહીં ત્યાં સુધી આ માત્ર ને માત્ર ઊભા રહેવા પૂરતું જ રહેશે.
અહીં લખવાનું મન એટલે થયું કે એક શિક્ષણ મહાવિદ્યાલયમાં રિસર્ચ ભાગરૂપે માહિતી એકત્રીકરણ માટે જવાનું થયું. ત્યાં આચાર્યને મળી ને માહિતી એકત્રીકરણ માટે મંજૂરી લઈ લીધી. થોડી વાર બેસો અને અન્ય શિક્ષક તમારી મદદ કરશે. હું અને મારો મિત્ર ત્યાં કાર્યાલયની બહાર બેઠા. મદદરૂપ થનાર શિક્ષકે કહ્યું પ્રાર્થના પૂર્ણ થાય એટલે તમને બોલવું. થોડીવાર પછી પ્રાર્થના ગાતા તાલીમાર્થીઓનો અવાજ સંભળાયો... પ્રાર્થનાના શબ્દો હતા 'તમે મન મૂકી ને વર્ષ્યા' હું મારા મિત્ર ને એજ વાત કરી રહ્યો હતો કે હું જ્યારે શિક્ષક બનવાની તાલીમ લઈ રહ્યો હતો ત્યારે પણ આજ પ્રાર્થના ગાતા. થોડી વાર પછી રાષ્ટ્રગીતનો અવાજ સાંભળતાં જ હું ને મારો મિત્ર ઊભા થઈ ગયા. પણ કાર્યાલયની અંદર કાર્ય કરી રહેલા કર્મચારી અને બહાર બેઠેલાં કેટલાક બિન શૈક્ષણિક કર્મચારી જેમ બેઠા તેમ બેઠા જ તેની ઉપર કોઈ રાષ્ટ્રગીતની અસર જ ન હતી. રાષ્ટ્રગીત પૂર્ણ થયા પછી. કેવા કર્મચારીઓ હોય છે સરકારી ખાતાઓમાં જેને કંઈજ પડેલી ન હોય.. કાયદો તો કહે છે કે કોઈ ને બળજબરીથી રાષ્ટ્રગીત ગાવા પર મજબુર ના કરી શકાય. પરંતુ તેને એટલો હક આપી દેવાનો કે તમારે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે બેઠાં બેઠાં મસ્ત સાંભળ્યા કરવાનું...?! ચાલો માની લઈએ કે તમે બહાર રોડ પર જતાં હોય ને રાષ્ટ્રગીત ગવાતું હોય ને ના ઊભા રહી શકો તો ત્યારે કોઈ કામ અર્થે નીકળ્યા હોય શકે. પરંતુ જ્યાં સરકારી તાલીમ આપનારી સંસ્થામાં જ આવું જોવા મળે તો ખાનગી સંસ્થા પર શું આશા રાખી શકો. કેટલીક સરકારી હોય કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ એવી હોય છે કે જ્યાં આવી સંપૂર્ણ શિસ્તબદ્ધતા જોવા મળતી હોય છે કે જેમાં જરાપણ રાષ્ટ્રગીત માટેનું અપમાન ચાલવી લેવાતું નથી. તો એવી સંસ્થાઓ પાસેથી કંઈક શીખવું જરૂરી છે.
જો કોઈ રાષ્ટ્રગીત ને સન્માન ના આપી શકે તો સરકારી હોય ક ખાનગી સંસ્થા ગાવાનું બંધ કરી દેવું જોઈએ. માત્ર શિક્ષક અને વિદ્યાર્થીઓ જ સન્માન કરે એવું કોને કહ્યું આ તો આપણા દેશની શાન છે જેને ગાતા ગાતા શહીદી વહોરનારા વીર શહીદો કેટલા બધા... તો આપણે તો તેઓની આગળ સામાન્ય માણસ છીએ તો પણ રાષ્ટ્રગીત ને બેઠાં બેઠાં સન્માન શા માટે... વધુમાં વધુ સવા મિનિટ ઊભા રહેશો પણ તેનાથી કમર દર્દ નહીં વધી જાય... કે જેથી બેસી જ રહો ભલે ને જેને જે ગાવું હોય તે ગાય આપણે શું...
ખરેખર ભારતીય હોવાનું ગર્વ હોય તો જ્યારે પણ રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે તેને વ્યવસ્થિત ઊભા રહી માન-સન્માન આપવું જોઈએ. કારણ કે રાષ્ટ્રગીત અમૂલ્ય વિરાસતમાં આપણને મળ્યું છે.
જય હિન્દ...
અહીં લખવાનું મન એટલે થયું કે એક શિક્ષણ મહાવિદ્યાલયમાં રિસર્ચ ભાગરૂપે માહિતી એકત્રીકરણ માટે જવાનું થયું. ત્યાં આચાર્યને મળી ને માહિતી એકત્રીકરણ માટે મંજૂરી લઈ લીધી. થોડી વાર બેસો અને અન્ય શિક્ષક તમારી મદદ કરશે. હું અને મારો મિત્ર ત્યાં કાર્યાલયની બહાર બેઠા. મદદરૂપ થનાર શિક્ષકે કહ્યું પ્રાર્થના પૂર્ણ થાય એટલે તમને બોલવું. થોડીવાર પછી પ્રાર્થના ગાતા તાલીમાર્થીઓનો અવાજ સંભળાયો... પ્રાર્થનાના શબ્દો હતા 'તમે મન મૂકી ને વર્ષ્યા' હું મારા મિત્ર ને એજ વાત કરી રહ્યો હતો કે હું જ્યારે શિક્ષક બનવાની તાલીમ લઈ રહ્યો હતો ત્યારે પણ આજ પ્રાર્થના ગાતા. થોડી વાર પછી રાષ્ટ્રગીતનો અવાજ સાંભળતાં જ હું ને મારો મિત્ર ઊભા થઈ ગયા. પણ કાર્યાલયની અંદર કાર્ય કરી રહેલા કર્મચારી અને બહાર બેઠેલાં કેટલાક બિન શૈક્ષણિક કર્મચારી જેમ બેઠા તેમ બેઠા જ તેની ઉપર કોઈ રાષ્ટ્રગીતની અસર જ ન હતી. રાષ્ટ્રગીત પૂર્ણ થયા પછી. કેવા કર્મચારીઓ હોય છે સરકારી ખાતાઓમાં જેને કંઈજ પડેલી ન હોય.. કાયદો તો કહે છે કે કોઈ ને બળજબરીથી રાષ્ટ્રગીત ગાવા પર મજબુર ના કરી શકાય. પરંતુ તેને એટલો હક આપી દેવાનો કે તમારે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે બેઠાં બેઠાં મસ્ત સાંભળ્યા કરવાનું...?! ચાલો માની લઈએ કે તમે બહાર રોડ પર જતાં હોય ને રાષ્ટ્રગીત ગવાતું હોય ને ના ઊભા રહી શકો તો ત્યારે કોઈ કામ અર્થે નીકળ્યા હોય શકે. પરંતુ જ્યાં સરકારી તાલીમ આપનારી સંસ્થામાં જ આવું જોવા મળે તો ખાનગી સંસ્થા પર શું આશા રાખી શકો. કેટલીક સરકારી હોય કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ એવી હોય છે કે જ્યાં આવી સંપૂર્ણ શિસ્તબદ્ધતા જોવા મળતી હોય છે કે જેમાં જરાપણ રાષ્ટ્રગીત માટેનું અપમાન ચાલવી લેવાતું નથી. તો એવી સંસ્થાઓ પાસેથી કંઈક શીખવું જરૂરી છે.
જો કોઈ રાષ્ટ્રગીત ને સન્માન ના આપી શકે તો સરકારી હોય ક ખાનગી સંસ્થા ગાવાનું બંધ કરી દેવું જોઈએ. માત્ર શિક્ષક અને વિદ્યાર્થીઓ જ સન્માન કરે એવું કોને કહ્યું આ તો આપણા દેશની શાન છે જેને ગાતા ગાતા શહીદી વહોરનારા વીર શહીદો કેટલા બધા... તો આપણે તો તેઓની આગળ સામાન્ય માણસ છીએ તો પણ રાષ્ટ્રગીત ને બેઠાં બેઠાં સન્માન શા માટે... વધુમાં વધુ સવા મિનિટ ઊભા રહેશો પણ તેનાથી કમર દર્દ નહીં વધી જાય... કે જેથી બેસી જ રહો ભલે ને જેને જે ગાવું હોય તે ગાય આપણે શું...
ખરેખર ભારતીય હોવાનું ગર્વ હોય તો જ્યારે પણ રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે તેને વ્યવસ્થિત ઊભા રહી માન-સન્માન આપવું જોઈએ. કારણ કે રાષ્ટ્રગીત અમૂલ્ય વિરાસતમાં આપણને મળ્યું છે.
જય હિન્દ...
No comments:
Post a Comment