Monday, 18 June 2018
Monday, 16 April 2018
એક તણખો પોતાને ઓળખવા માટે...
છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સવારે ચા પીવા જવાની અને પછી બીજું કાર્ય કરવાની આદત પડી ગઈ છે. રોજબરોજની જેમ જ સવારે ઊઠીને મોઢું ધોઈને એમ. ટી. બી આર્ટ્સ કોલેજની બહાર ચા પીવા મારા મિત્ર સાથે ગયો. બાઇક છે અટલે પાંચ મિનિટ લાગે જતાં-આવતાં ને આ જગ્યાએ ખાસ એવું બનતું હોય કે કેટલાક જુના મિત્રો અહિંયા જ ભેગા થતા હોય છે. ક્યારેક કેટલાક મિત્રો ભેગા થઇ જાય તો વાતો કરવામાં સમય કલાક ઉપર ત્યાં જ થઈ જાય. પણ આજનો દિવસ કંઇક અલગ હતો. બસ એક ડાયલોગ યાદ આવતો તો 'ઈશ્વરમાં શ્રદ્ધા ના હોય તો ચાલશે, પણ શ્રદ્ધા હોવી જોઈએ.'. ગુજરાતી ફિલ્મ 'રેવા' જોયા પછી આ ડાયલોગ ગમી ગયો. ચાની લારી પાસે બાઈક પાર્ક કરીને બાઈક પર જ બેસીને ચા પી રહ્યો છું. મારા મિત્રના હાથમાં પણ ચા નો કપ છે. અન્ય ચાના રસીકો મસ્ત ચુસ્કી લઈ રહ્યા છે. એવામાં મારી બાજુમાં એક સાઈકલ પર એક યુવક આવ્યો. સાઈકલ પાર્ક કરી. ચાની લારી પાસે જઈ ચા લઈને પીધી. હું વિચારું છું કે હજી પણ કોલેજમાં લોકો સાઈકલ પર આવે છે. શર્ટના ખિસ્સામાં મોબાઈલને અન્ય સામગ્રી હતી. બેગ પાછળ લટકાવેલો હતો. હું તો મારા મોબાઈલમાં આજનું કોઈ સોંગ શોધી રહ્યો હતો જેનાથી મારું માઈન્ડ આખો દિવસ ફ્રેસ રહે. પરંતુ તે ભાઈ પર મારી ફરી નજર પડી જોયું તો ક્યારેક ભગવાન કેટલાક લોકોને જીદ કરીને લડવા માટે શારીરિક અક્ષમતાવાન (દિવ્યાંગ) બનાવે છે. પરંતુ એની જીદ અને ભગવાનને હરાવાની આદત મને આકર્ષી ગઈ. એ નવયુવાનને પોતાનામાં શ્રદ્ધા હતી. એ જે ધારે તે હાંસિલ કરે એવી સ્ફૂર્તિ હતી. એને જોયા પછી મને થયું કે હું માત્ર કેટલાક દિવસથી માત્ર સમય જ પસાર કરું છું કરતો કંઈ નથી. ચા પીધા બાદ ફરી પેલા ભાઈને જોયું. પેન્ટના ખીસ્સાની ઉપર બેલ્ટ પાસે મેઝરટેપ હતી. વિચારો કે પરીક્ષા આપીને પણ કામ પર કરવા જવું. પુછવાનું મન થયું કે અભ્યાસ બાદ શું કામ કરો છો.. પણ હિંમત ન થઈ. રોજની જેમ ચા પીને ફરી આવી ગયો હોસ્ટેલ પર. પણ એક તણખો મારામાં જરૂર પડ્યો જે નવી ઊર્જાનો હતો હું મારી ક્ષમતાઓનો દુરુપયોગ કરી રહ્યો તેને ઉપયોગી બનાવવાનો. ક્ષમતાવાન હોવા છતાં મારું કાર્ય સારી રીતે કરતો નથી. કરવા જાઉં છું ને અધુરું છોડી દઉં છું. શા માટે મારી પાસે સમય છે અને સમય આવશે ત્યારે પૂરું થઈ જશે. પરંતુ પેલા નવયુવાનને જોઈને વિચાર આવ્યો કે હવે હું સમયનો વેડફાટ નહીં કરૂં. મારું કાર્ય સમયસર પૂર્ણ કરી દઈશ.
મારા જીવનમાં ઘણા એવા લોકો જોયા છે જેને ભગવાને કંઈક ઓછું આપ્યું છે તેઓ હંમેશા જીદની સાથે જીવે છે અને પોતાના દમ પર જીવવા માંગે છે. બસ લોકો તેને રહેમની નજરે જોઈ છે. પણ તેને રહેમની નહીં સહકારની જરૂર છે. આપણને સહકારથી માંડીને બધું જ મળે છે તો પણ શું કરીએ છીએ તે સૌ આપણે જાણીએ છીએ જ. આટલું પોતાને જાણીએ છીએ કે હું શું કરી શકું છું અને શું નથી કરી શકતો. પરંતુ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવામાં આપણી શક્તિનો ઉપયોગ કર્યો હોત તો આજે આપણે બીજાને કે નસીબને ગાળ નહીં આપતે. એટલું તો મને જરૂર સમજાયું કે જ્યાં સમયની સાથે કાર્ય કરવાનું છે ત્યાં પુરૂં જ કરવું. જો મોડું થશે તો યુ આર લેટ...નો મેસેજ કદાચ આવનારા સમયમાં તમે કોઈપણ કાર્ય પૂર્ણ કરીને આપશો ત્યારે આવશે અને તમારું કાર્ય સબમીટ નહીં થશે.
Monday, 26 March 2018
Whatsappનો શિક્ષણમાં ઉપયોગ
પ્રસ્તાવના :
વર્તમાન સમય એ ટેકનોલોજીનો યુગ છે. ભારતભરમાં સ્માર્ટફોનનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થવા લાગ્યો છે. સ્માર્ટફોને દરેક ને ખૂબ સારી સુવિધાઓ આપો છે. પરંતુ તેનો ઉપયોગ સમય પસાર કરવાનું સાધનમાત્ર છે. સ્માર્ટફોનની સુવિધાઓ ગજબની છે. તે જાણવું જરૂરી છે. Whatsapp પર માત્ર વગરકામના મેસેજ ફોરવર્ડ કરવા માટે નહીં. પરંતુ તેનો શિક્ષણમાં પણ ઉપયોગ સારી રીતે કરી શકાય છે. આજે કેટલાક વેપારીઓ તેની પ્રોડક્ટને તમારા વોટ્સએપ સ્ટેટ્સ પર મૂકો તો પણ ડિસ્કાઉન્ટ આપે છે તો શિક્ષણમાં તેનો ઉપયોગ કેમ નહિ કરી શકાય.
Whatsapp એ માત્ર મેસેજ ફોરવર્ડ કરવાનું સાધન નથી પરંતુ મુખ્ય હેતુ જ એ છે કે જે કોઈપણ વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે છે તેનો તરત સંપર્ક કરવા માટે છે.
વોટ્સએપનો શિક્ષણમાં ઉપયોગ :
વર્ગખંડમાં શિક્ષક જે કંઈ પણ ભણાવે છે તેનાથી વિશેષ માહિતી વિદ્યાર્થીઓને આપવા માંગે તો સોશિયલ મીડિયાના ઉપયોગથી વિષયવસ્તુને અનુસંધાન માહિતી વિદ્યાર્થીઓને આપી શકાય છે. જે આ પ્રમાણે છે.
- શિક્ષણને લગતા વિડીયોની લિંક શેર કરી શકાય.
- વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને વિષયવસ્તુ અનુસાર વિડીયો, પીડીએફ, વર્ડની ફાઇલ, ચિત્રોની મદદથી શિક્ષણ સામગ્રી આપી શકાય.
- શાળાના વોટ્સએપ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને વિવિધ સુચનાઓ કે અન્ય કોઈપણ નોટિસ મોકલી શકાય અને માહિતગાર કરી શકાય.
- વાલીઓ અને વિદ્યાર્થીઓનું અલગ વોટ્સએપ ગ્રુપ બનવવાથી બંનેની જરૂરિયાત મુજબની માહિતી કે સુચનાઓ આપી શકાય. જેમ કે અઠવાડિયામાં લેવામાં આવતી પરીક્ષાનું પરિણામ જોવા કે વાલી મિટિંગ માટે વાલીઓને અલગથી સૂચના આપી શકાય. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાનું સમયપત્રક તેમજ કોઈપણ પ્રવૃત્તિઓ શાળામાં આયોજન થાય તેની માહિતી આપી શકાય.
- વોટ્સએપનો ઉપયોગ કરનારા વાલીઓને ગ્રુપમાં સામેલ કરવા ગ્રુપની લિંક શેર કરી એક ગ્રુપ બનાવી શકાય.
- કોઈ વિદ્યાર્થીની સિદ્ધિને બિરદાવા માટે તેમજ પ્રોત્સાહિત કરવા માટે વોટ્સએપ પર તેની વિગત મોકલી શકાય.
- શાળા કે મહાશાળામાં ઉજવવામાં આવતા કાર્યક્રમોની વિગત વર્તમાનપત્રોમાં આવે તો વાલીઓ સુધી કે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય છે.
- અન્યો લોકોને linkથી પરિચિત કરી શકાય જેથી શૈક્ષણિક ગ્રુપમાં જોડાય શકે.
- મિત્રો સાથે ગ્રુપ સહાયકારી અધ્યયન કે પ્રોજેક્ટ કાર્ય કરી શકાય. (પ્રોજેક્ટનું ગ્રુપ બનાવી ને.)
- ગુગલ ડ્રાઈવ પર ફાઈલ મૂકીને બીજા વિદ્યાર્થીઓને link મોકલવાથી તેઓ ફાઈલ download કરી શકે છે.
- સેમિનાર, પુસ્તકો, શૈક્ષણિક કાર્યક્રમ વગેરેની વિગતો વોટ્સએપ પર મોકલી શકાય છે.
- તજજ્ઞોના વ્યાખ્યાનની વિડીયો ફાઇલ શેર કરી શકાય.
- આકસ્મિક સંજોગોમાં વિડીયો કોલથી પરીક્ષા લઈ શકાય.
- શિક્ષણનાં સર્ક્યુલર મેસેજ કરી શકાય.
- શાળા દ્વારા સામાજિક સંબંધો સ્થાપી શકાય.
- વ્યવસાયિક સંબંધો સ્થાપી શકાય.
- વ્યવસાયને લગતી જાહેરાત હવે વોટ્સએપના સ્ટેટ્સ પર મૂકીને કરી શકાય.
- પ્રાદેશિક ભાષામાં લખી શકાય.
વર્તમાન સમય એ ટેકનોલોજીનો યુગ છે. ભારતભરમાં સ્માર્ટફોનનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થવા લાગ્યો છે. સ્માર્ટફોને દરેક ને ખૂબ સારી સુવિધાઓ આપો છે. પરંતુ તેનો ઉપયોગ સમય પસાર કરવાનું સાધનમાત્ર છે. સ્માર્ટફોનની સુવિધાઓ ગજબની છે. તે જાણવું જરૂરી છે. Whatsapp પર માત્ર વગરકામના મેસેજ ફોરવર્ડ કરવા માટે નહીં. પરંતુ તેનો શિક્ષણમાં પણ ઉપયોગ સારી રીતે કરી શકાય છે. આજે કેટલાક વેપારીઓ તેની પ્રોડક્ટને તમારા વોટ્સએપ સ્ટેટ્સ પર મૂકો તો પણ ડિસ્કાઉન્ટ આપે છે તો શિક્ષણમાં તેનો ઉપયોગ કેમ નહિ કરી શકાય.
Whatsapp એ માત્ર મેસેજ ફોરવર્ડ કરવાનું સાધન નથી પરંતુ મુખ્ય હેતુ જ એ છે કે જે કોઈપણ વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે છે તેનો તરત સંપર્ક કરવા માટે છે.
વોટ્સએપનો શિક્ષણમાં ઉપયોગ :
વર્ગખંડમાં શિક્ષક જે કંઈ પણ ભણાવે છે તેનાથી વિશેષ માહિતી વિદ્યાર્થીઓને આપવા માંગે તો સોશિયલ મીડિયાના ઉપયોગથી વિષયવસ્તુને અનુસંધાન માહિતી વિદ્યાર્થીઓને આપી શકાય છે. જે આ પ્રમાણે છે.
- શિક્ષણને લગતા વિડીયોની લિંક શેર કરી શકાય.
- વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને વિષયવસ્તુ અનુસાર વિડીયો, પીડીએફ, વર્ડની ફાઇલ, ચિત્રોની મદદથી શિક્ષણ સામગ્રી આપી શકાય.
- શાળાના વોટ્સએપ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને વિવિધ સુચનાઓ કે અન્ય કોઈપણ નોટિસ મોકલી શકાય અને માહિતગાર કરી શકાય.
- વાલીઓ અને વિદ્યાર્થીઓનું અલગ વોટ્સએપ ગ્રુપ બનવવાથી બંનેની જરૂરિયાત મુજબની માહિતી કે સુચનાઓ આપી શકાય. જેમ કે અઠવાડિયામાં લેવામાં આવતી પરીક્ષાનું પરિણામ જોવા કે વાલી મિટિંગ માટે વાલીઓને અલગથી સૂચના આપી શકાય. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાનું સમયપત્રક તેમજ કોઈપણ પ્રવૃત્તિઓ શાળામાં આયોજન થાય તેની માહિતી આપી શકાય.
- વોટ્સએપનો ઉપયોગ કરનારા વાલીઓને ગ્રુપમાં સામેલ કરવા ગ્રુપની લિંક શેર કરી એક ગ્રુપ બનાવી શકાય.
- કોઈ વિદ્યાર્થીની સિદ્ધિને બિરદાવા માટે તેમજ પ્રોત્સાહિત કરવા માટે વોટ્સએપ પર તેની વિગત મોકલી શકાય.
- શાળા કે મહાશાળામાં ઉજવવામાં આવતા કાર્યક્રમોની વિગત વર્તમાનપત્રોમાં આવે તો વાલીઓ સુધી કે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય છે.
- અન્યો લોકોને linkથી પરિચિત કરી શકાય જેથી શૈક્ષણિક ગ્રુપમાં જોડાય શકે.
- મિત્રો સાથે ગ્રુપ સહાયકારી અધ્યયન કે પ્રોજેક્ટ કાર્ય કરી શકાય. (પ્રોજેક્ટનું ગ્રુપ બનાવી ને.)
- ગુગલ ડ્રાઈવ પર ફાઈલ મૂકીને બીજા વિદ્યાર્થીઓને link મોકલવાથી તેઓ ફાઈલ download કરી શકે છે.
- સેમિનાર, પુસ્તકો, શૈક્ષણિક કાર્યક્રમ વગેરેની વિગતો વોટ્સએપ પર મોકલી શકાય છે.
- તજજ્ઞોના વ્યાખ્યાનની વિડીયો ફાઇલ શેર કરી શકાય.
- આકસ્મિક સંજોગોમાં વિડીયો કોલથી પરીક્ષા લઈ શકાય.
- શિક્ષણનાં સર્ક્યુલર મેસેજ કરી શકાય.
- શાળા દ્વારા સામાજિક સંબંધો સ્થાપી શકાય.
- વ્યવસાયિક સંબંધો સ્થાપી શકાય.
- વ્યવસાયને લગતી જાહેરાત હવે વોટ્સએપના સ્ટેટ્સ પર મૂકીને કરી શકાય.
- પ્રાદેશિક ભાષામાં લખી શકાય.
Sunday, 11 March 2018
વર્કશોપ પ્રયુક્તિ
વર્કશોપ પ્રયુક્તિમાં સામાન્ય રીતે
કોઈપણ સર્જનાત્મક લેખન કે તાલીમના સંદર્ભે આયોજન થાય છે. જેમ કે ગઝલ કેવી રીતે
લખવું (જ્ઞાનાત્મક પ્રવૃતિ, કૌશલ્યનો વિકાસ થાય), પુસ્તક સમીક્ષા કરવી (થિયરી અને
સમીક્ષા કૌશલ્ય વિકસે) તેમજ ભાષા સર્જનાત્મકતા, સંશોધન લેખ કેવી રીતે લખી શકાય
વગેરે.
મનોશારીરિક, ક્રિયાત્મક, જ્ઞાનાત્મક
કૌશલ્યને વિકસાવવા માટે વર્કશોપ યોજાય છે.
વ્યાખ્યા :
10થી 25 વ્યક્તિઓનો એકત્રિત સમૂહ કે
જેવો કોઈ સમાન સમસ્યા કે રસ ધરાવતા હોય, તેવા ઊંડાણપૂર્વકના અભ્યાસ સંશોધન મહાવરા
અને ચર્ચા દ્વારા તેનું સમાધાન કરે કે અપેક્ષિત કૌશલ્ય પ્રાપ્ત કરે તે સંકલ્પનાને
વર્કશોપ કહેવાય.
વર્કશોપ એ એક વિશાળ સમૂહ ચર્ચા પદ્ધતિ
છે કે જેમાં જવાબદાર અનુભવી વ્યક્તિઓ, તજજ્ઞો અને સલાહકારો તેમના કાર્યો,
વ્યવસાયમાં અનુભવાતી સમસ્યાઓ ઉકેલવા ભેગાય મળે.
વિશેષતાઓ :
-
નાના સમૂહમાં આકાર લે છે.
-
વર્કશોપનો ઉદ્દેશ્ય પ્રવૃત્તિ પ્રાયોગિક
અનુભવો દ્વારા શીખવું એ હોય છે.
-
ભાગ લેનાર તાલીમાર્થીમાંથી ગ્રુપ લીડર
કે રિપોર્ટર્સની નિમણૂક કરવામાં આવે છે.
-
વર્કશોપમાં દરેક સભ્યને કાર્ય કરવાની
કંઈક સર્જન કરવાની તક પ્રાપ્ત થાય છે.
ઉદ્દેશ્યો :
-
કૌશલ્ય વિકસાવવા માટે
-
નવા વિચારોનો વિનિયોગ કરવા માટે
-
ઉપયોજન ક્ષમતા વિકસાવવા માટે
-
સમૂહ અધ્યયનના માધ્યમો પુરા પાડે.
-
એકબીજા પાસેથી શીખવાની તકો પ્રાપ્ત
થાય.
-
પરિપક્વ અધ્યયન પર્યાવરણ પુરૂં પાડે.
મૂલ્યાકન : મૂલ્યાંકન માટે ટીમટીચિંગ,
પ્રશ્નાવલીનો ઉપયોગ, અભિપ્રાયવલીનો ઉપયોગ કરી શકાય.
સોપાનો
1.
આયોજન
2.
રજૂઆત
3.
મૂલ્યાંકન
કયા વિષયો હોય શકે :
સમીક્ષા વર્કશોપ, ગઝલ વર્કશોપ,
સર્જનાત્મક વર્કશોપ, માઈક્રોટીચિંગ, પાઠ આયોજન, વર્ગખંડમાં ક્રિયાત્મક સંશોધન,
બ્લૂમ ટેક્સોનોમી, વર્ગખંડ અવલોકન કરવું, અભ્યાસક્રમની રચના કરવી.
સીટીઈ, ડાયેટ, આઈએએસઈ વગેરે દ્વારા
તાલીમનું આયોજન કરવામાં આવે.
સભ્યો – 1. વર્કશોપના ઓર્ગેનાઈઝર,
2. તાલીમાર્થીઓ, પ્રાથમિક, માધ્યમિક,
ઉચ્ચત્તર માધ્યમિક, બી.એડ્. વગેરે.
3. તજજ્ઞો
ફાયદા
-
ઉચ્ચ જ્ઞાનાત્મક કૌશલ્યો અને
ક્રિયાત્મક-મનોશારીરિક કૌશલ્ય વિકસાવવા.
-
નવા સુધારણા, નવા કૌશલ્યો, વિકસાવવા
માટે.
-
વ્યાવસાયિક ક્ષમતા સુધારવા માટે
-
શિક્ષણની સમસ્યાને વર્કશોપ દ્વારા
તાલીમ આપી ઉકેલ લાવી શકાય.
મર્યાદા
-
આર્થિક અને સમયની દૃષ્ટિએ ખર્ચાળ.
-
શિક્ષકોમાં નીરસતા-નકારાત્મક્તા આવે.
-
યોગ્ય કૌશલ્યયુક્ત તજજ્ઞો મળવા
મુશ્કેલ.
-
નાના સમૂહ માટે જ કામ આવે છે. જેમાં
મોટા લેવલ પર વર્કશોપ થઈ શકતું નથી.
-
એકવાર તાલીમ અપાયા બાદ તેનું ફલોઅપ થતું
નથી,
સંદર્ભ :
ટીમ ટીચિંગના ફાયદા અને ગેરફાયદા
ફાયદા
વિદ્યાર્થીઓ બધા સમાન દરે શીખતા નથી.
તમામ લર્નિંગ પરિસ્થિતિઓ માટે સમાન લંબાઈના સમયગાળો યોગ્ય નથી. એક વિષય વિષયક
વર્ગમાં યુવાન, અપરિપક્વ, અને બિનઅનુભવી વિદ્યાર્થીને પરિપક્વ અને અનુભવી શિક્ષક દ્વારા ટ્રાયલ
અને ટ્રાયલનો મુખ્યત્વે ટોપ-ડાઉન ટ્રાન્સમિશન સાથે શિક્ષકો મુખ્યત્વે વ્યવહાર કરતા
નથી. શાળાઓ શીખવાની અન્ય સંપૂર્ણ પરિમાણના સમાવેશ તરફ આગળ વધી રહી છેઃ સમાજનાં
પ્રત્યેક સંવેદનશીલ સભ્યને બાજુમાં પ્રસારિત કરવામાં આવે છે જે શોધવામાં, શોધવામાં, બનાવેલ, ઉત્પાદિત અથવા માર્કેટિંગ કરવામાં આવ્યા છે. આ માટે, કુશળતા વિવિધ વિસ્તારો સાથે ટીમના સભ્યો અમૂલ્ય છે.
અલબત્ત, ટીચર્સ શિક્ષણ એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને
વહીવટકર્તાઓને આડે આવતી તમામ સમસ્યાઓનો એકમાત્ર જવાબ નથી. તેમાં આયોજન, કુશળ વ્યવસ્થાપન, જોખમના બદલાવની ઇચ્છા અને નિષ્ફળતા,
વિનમ્રતા, ખુલ્લા વિચારો, કલ્પના અને સર્જનાત્મકતાની જરૂર છે.
પરંતુ પરિણામો તે મૂલ્યના છે.
શિક્ષણની ગુણવત્તા સુધારે છે કારણ કે
વિવિધ નિષ્ણાતો જુદી જુદી ખૂણેથી સમાન વિષયનો સંપર્ક કરે છે: સિદ્ધાંત અને પ્રથા, ભૂતકાળ અને
વર્તમાન, જુદી જુદી જાતિઓ અથવા વંશીય પશ્ચાદભૂ. શિક્ષકની મજબૂતાઈઓ સંયુક્ત થાય
છે અને નબળાઈઓને દૂર કરવામાં આવે છે. ગરીબ શિક્ષકોને નિરીક્ષણ, સમર્થક
સંદર્ભમાં અન્ય ટીમના સભ્યો દ્વારા નિરીક્ષણ, વિવેચન, અને સુધારી શકાય છે. શિક્ષકોની ટીમ
દ્વારા કરાયેલું મૂલ્યાંકન વ્યક્તિગત શિક્ષકની આત્મનિરીક્ષણ અને આત્મ-મૂલ્યાંકન
કરતા વધુ સમજદાર અને સંતુલિત હશે.
ટીમોમાં કામ કરવું જવાબદારી ફેલાવે છે, સર્જનાત્મકતાને
પ્રોત્સાહન આપે છે, મિત્રતા ઊંડા કરે છે,
અને શિક્ષકોમાં સમુદાયમાં વધારો કરે છે.
શિક્ષકો એક બીજા પૂરક છે. તેઓ અંતદૃષ્ટિ શેર કરે છે, નવા અભિગમોને પ્રસ્તાવિત કરે છે, અને ધારણાઓને
પડકારે છે. તેઓ એકબીજાને જોવાથી નવા પરિપ્રેક્ષ્યો અને સમજ, તરકીબો અને
મૂલ્યો શીખે છે. જ્યારે તેઓ ચર્ચા કરે છે ત્યારે વિદ્યાર્થીઓ તેમની વચ્ચે
વાતચીતોમાં પ્રવેશ કરે છે, જગ્યા અથવા તારણોથી અસંમત થાય છે, નવા પ્રશ્નો ઉભા કરે છે અને પરીણામો
બહાર કાઢે છે. દ્રષ્ટિકોણથી વિરોધાભાસી વિદ્યાર્થીઓ વધુ સક્રિય વર્ગ ભાગીદારી અને
સ્વતંત્ર વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે, ખાસ કરીને જો લિંગ, જાતિ, સંસ્કૃતિ અને વય
માટે ટીમનું સંતુલન છે. ટીમના શિક્ષણમાં વૃદ્ધ અને અપૂરતા વિદ્યાર્થીઓ સાથે ખાસ
કરીને અસરકારક છે જ્યારે તે તેમના જીવનના અનુભવોમાં ટેપ કરવા માટે વાતચીતની
વાતચીતથી આગળ વધે છે.
ગેરફાયદા
ટીમનું શિક્ષણ હંમેશા સફળ નથી કેટલાક
શિક્ષકો કઠોર વ્યક્તિત્વ પ્રકારો છે અથવા એક પદ્ધતિથી લગ્ન કરી શકે છે કેટલાક ફક્ત
ટીમ પરના અન્ય શિક્ષકોને નાપસંદ કરે છે. કેટલાક સંભવિત નિષ્ફળતાઓ પર નિંદા અને
નાહિંમત થવાનું જોખમ લેવા માંગતા નથી. કેટલાક ભય તેઓ એક જ પગાર માટે વધુ કામ કરવા
માટે અપેક્ષા આવશે. અન્ય લોકો સ્પોટલાઇટ અથવા તેમના પાલતુ વિચારોને શેર કરવા અથવા
સંપૂર્ણ નિયંત્રણ ગુમાવવા માટે તૈયાર નથી.
ટીમનું શિક્ષણ સમય અને ઊર્જા પર વધુ
માગ કરે છે સભ્યોએ આયોજન અને મૂલ્યાંકન માટે પરસ્પર અનુકૂળ સમયની વ્યવસ્થા કરવી
જોઈએ. ચર્ચાઓ વહેતી થઈ શકે છે અને જૂથ નિર્ણયો લાંબા સમય સુધી લઈ શકે છે.
ટીમ-અધ્યયન પદ્ધતિ સમાવવા માટેના અભ્યાસક્રમોને પુન: વિચારતા વારંવાર અસુરક્ષિત
હોય છે.
વિપક્ષ વિદ્યાર્થીઓ, માતાપિતા અને
વહીવટકર્તાઓથી પણ આવી શકે છે, જે કોઈપણ પ્રકારના ફેરફારને પ્રતિકાર કરી શકે છે. કેટલાક વિદ્યાર્થીઓ
પુનરાવર્તનના તરફેણમાં અત્યંત માળખાગત પર્યાવરણમાં આગળ વધે છે. કેટલાક વિરોધાભાસી
મંતવ્યો દ્વારા મૂંઝવણમાં છે. ઘણાં વિવિધ આદત રચના અટકાવી શકે છે.
ટીમના સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેલી
વધારાની જવાબદારીને પગાર ચૂકવવા પડે છે ટીમ નેતાઓને કેટલાક ફોર્મની બોનસની જરૂર
હોઈ શકે છે આ પ્રકારના ખર્ચને કેટલાક વર્ગના કદને વિસ્તૃત કરીને મળી શકે છે.
નોન-પ્રોફેશનલ સ્ટાફ સભ્યો કેટલાક જવાબદારીઓ લઈ શકે છે.
કિલપેટ્રિક મુજબ ચાર પ્રકારના પ્રોજેક્ટ્સ
![]() |
| https://www.slideshare.net/MandeepGill1/project-method-of-teaching |
1. રચનાત્મક પ્રોજેક્ટ: લેખના નિર્માણ,
પ્રાયોગિક અથવા ભૌતિક કાર્યો, એક મોડેલ બનાવે છે, સારી રીતે રમી અને નાટકનું નિર્માણ આ પ્રકારના
પ્રોજેક્ટ્સમાં કરવામાં આવે છે.
2. એસ્થેટિક પ્રોજેક્ટ: સંગીતના
કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના પ્રશંસાની શક્તિ વિકસાવવામાં આવી છે, કંઈક સુશોભન, કવિતાઓના જાહેરાતની પ્રશંસા વગેરે.
3. સમસ્યારૂપ યોજના: આ પ્રકારની
યોજનામાં વિદ્યાર્થીઓને તેમના અનુભવો દ્વારા સમસ્યા હલ કરવાની ક્ષમતા વિકસાવી છે.
તે જ્ઞાનાત્મક ડોમેન પર આધારિત છે.
4. ડ્રીલ પ્રોજેક્ટ: વિદ્યાર્થીઓની
કુશળતા અને જ્ઞાનની નિપુણતા માટે છે. તે વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા અને ક્ષમતાને
વધારી દે છે.
પ્રોજેક્ટ પદ્ધતિની લાક્ષણિકતાઓ
![]() |
- તે વિદ્યાર્થીને વર્ગખંડમાંની દિવાલોની
બહાર લઈ જાય છે.
- તે કુદરતી વાતાવરણમાં હાથ ધરવામાં આવે
છે, આમ અધ્યયનને વાસ્તવિક અને પ્રાયોગિક બનાવે છે.
- તે પ્રાયોગિક સમસ્યાઓના તપાસની શોધ અને
ઉકેલને ઉત્તેજન આપે છે.
- તે વિદ્યાર્થી પર ધ્યાન કેન્દ્રિત કરે
છે કારણ કે તે કાર્યમાં તેમની સક્રિયતાને સૂચિબદ્ધ કરે છે.
- તે વૈજ્ઞાનિક તપાસની ભાવનાને
પ્રોત્સાહન આપે છે કારણ કે તે તપાસ દ્વારા ક્ષેત્રમાંથી મળેલી પુરાવાઓના આધારે
પૂર્વધારણાઓની માન્યતા ધરાવે છે.
- તે પુસ્તકોમાંથી મેળવેલ જ્ઞાનના
વ્યાવહારિક પાસાંઓનું વધુ સારું જ્ઞાન પ્રદાન કરે છે.
- તે વિદ્યાર્થીની સામાજિક કુશળતા વધારે
છે, કારણ કે તે સામાજિક પર્યાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા
જરૂરી છે.
- એક નિષ્ણાતની ભૂમિકાને બદલે શિક્ષક
શિક્ષકની ભૂમિકા ભજવે છે.
પ્રોજેક્ટ પદ્ધતિ
![]() |
| http://i.dtinews.vn/images/editor/images/ngovan/122012/27/Big/images221096_3d-model.jpg |
પ્રોજેક્ટ પદ્ધતિ એ એક આધુનિક પદ્ધતિ
છે જેમાં શીખવાની પદ્ધતિ, અભ્યાસક્રમ અને અભ્યાસની સામગ્રીને
ડિઝાઇન કરવા માટે વિદ્યાર્થીઓને દૃષ્ટિકોણને મહત્વ આપવામાં આવે છે. આ પદ્ધતિ
વ્યવહારવાદના લર્નિંગ બાય ડૂઇંગના સિદ્ધાંત પર આધારિત છે. આ વ્યૂહરચનાના
વિદ્યાર્થીઓ કુદરતી સ્થિતિમાં રચનાત્મક પ્રવૃત્તિઓ કરે છે. એક પ્રોજેક્ટ વાસ્તવિક
જીવનની સૂચિ છે જે શાળામાંથી આપવામાં આવે છે અને તેના આધારે વિદ્યાર્થીઓ જાતે
પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરે છે.
વ્યાખ્યા :
According to W.H. Kilpatrick, "A
Project is a wholehearted purposeful activity proceeding in a social
environment.
According to Ballord,
"A Project is a bit of real life that has been imparted into school."
According to Thomas & Long, "It is a
voluntary undertaking which involves constructive effort of thought and
eventuates into objective results.
પ્રશ્નોતરી પદ્ધતિના હેતુઓ
શિક્ષકો સંખ્યાબંધ કારણો માટે પ્રશ્નો
પૂછે છે, જેમાંથી સૌથી સામાન્ય છે,
-
વિદ્યાર્થીઓને રસ, રૂચિ જાળવવા અને પડકાર આપવા
-
પહેલાં જ્ઞાન અને સમજણની તપાસ કરવા
-
નવી સમજણ અને અર્થ બનાવવા માટે
પ્રવર્તમાન જ્ઞાન અને અનુભવોને ચલાવવા માટે, સ્મૃતિસંગ્રહની પ્રેરણા આપવી;
-
મુખ્ય મુદ્દાઓ પર વિદ્યાર્થીઓનું ધ્યાન
કેન્દ્રિત કરવા માટે
-
હકીકતલક્ષી વિશ્લેષણાત્મક અને
મૂલ્યાંકન માટે તેમની વિચારસરણી વિસ્તારવા માટે વિદ્યાર્થીઓને મદદ કરવા માટે.
-
તર્કને પ્રોત્સાહન આપવા, સમસ્યાનું નિરાકરણ, મૂલ્યાંકન અને પૂર્વધારણાઓનું નિર્માણ.
-
વિદ્યાર્થીઓ જે શીખ્યા તેના વિચારને
પ્રોત્સાહન આપવા માટે.
-
પૂછવામાં આવેલા પ્રશ્નના આધારે તે
પૂછવાનાં કારણો પર આધારિત હશે. પ્રશ્નોને 'ઓપન' અથવા 'ક્લોઝ' તરીકે ઓળખવામાં આવે છે.
-
ક્લોઝ્ડ સવાલો, જેમાં એક સ્પષ્ટ જવાબ છે, સ્પષ્ટતા દરમિયાન અને રીકેપ સત્રોમાં સમજવા માટે ઉપયોગી છે. જો તમે
રિકોલની તપાસ કરવા માગો છો, તો પછી તમે એક તદ્દન બંધ પ્રશ્ર્ન પૂછો
છો, ઉદાહરણ તરીકે 'ગ્રેટ માલવર્ન માટે ગ્રિડ સંદર્ભ શું છે?' અથવા 'અમે આ પ્રકારના ટેક્સ્ટને શું કહીએ છીએ?'
-
બીજી બાજુ, જો તમે ઉચ્ચ ક્રમાંકની વિચારસરણી કૌશલ્ય વિકસિત કરવા માટે
વિદ્યાર્થીઓને મદદ કરવા માંગતા હો, તો તમારે વધુ ખુલ્લા પ્રશ્નો પૂછવાની
જરૂર પડશે જે વિદ્યાર્થીઓને સ્વીકાર્ય પ્રતિસાદો આપવા માટે પરવાનગી આપે છે. વર્ગની
ચર્ચાઓ અને ચર્ચાઓ દરમિયાન, ખુલ્લા પ્રશ્નો પૂછવા માટે ઉપયોગી છે,
ઉદાહરણ તરીકે 'આ પૂછપરછમાં મદદ કરવા માટે આમાંનાં ચાર સ્રોતોમાંથી કઈ સૌથી વધુ
ઉપયોગી છે?', 'તમામ વિરોધાભાસી દલીલો જોતાં, તમે નવા સુપરસ્ટોરને ક્યાં બનાવશો?' 'આ સર્કિટમાં વર્તમાનના કદ પર શું અસર થઈ શકે છે?'
-
પ્રશ્નકર્તાનો ઉપયોગ ક્યારેક હાથમાં
રહેલા કાર્ય પર વિદ્યાર્થીનું ધ્યાન લાવવા માટે થાય છે, ઉદાહરણ તરીકે, 'પીટર વિશે તમે શું વિચારો છો?' અથવા 'શું તમે સંમત છો?' (પ્રશ્નના પ્રકાર, વિભાગ શા માટે સ્વીકારાયા છે).
પ્રશ્નોત્તરી પદ્ધતિ
શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે
ક્રિયાપ્રતિક્રિયા એ વર્ગખંડમાં સૌથી અગત્યનું લક્ષણ છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓ
ઉકેલવા માટે મૂળભૂત કુશળતા અથવા વધુ સારી સમજ પ્રાપ્ત કરવા અથવા ઉચ્ચ મૂલ્યની
વિચારણા જેવા કે મૂલ્યાંકન, પ્રશ્નો નિર્ણાયક હોય તે માટે પ્રશ્નોત્તરી
સહાયરૂપ થાય છે. અલબત્ત, વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા
પ્રશ્નો પૂછી શકાય છે: તેઓ અધ્યયન અને અધ્યાપન બંને માટેના આવશ્યક સાધનો છે. શિક્ષકો
માટે, પ્રશ્ન એ મહ
ત્વનો કૌશલ્ય છે કે જે કોઈપણ સારી
રીતે ઉપયોગ કરીને શીખી શકે છે તેવી જ રીતે વિદ્યાર્થીઓને પ્રશ્નો વધારવા અને રચના
કરવાની તેમની પોતાની ક્ષમતા વિકસિત કરવાના રસ્તાઓ પણ શીખી શકાય છે. પ્રશ્ન ઊભો
કરવા અને પૂછવા માટેનો યોગ્ય પ્રશ્ન જાણીને એ મહત્વનું શિક્ષણ કુશળતા છે જે
વિદ્યાર્થીઓને શીખવવાની જરૂર છે.
![]() |
| http://questionsdiscussionfeedback.weebly.com/uploads/5/0/5/2/50527601/9837613_orig.jpg |
પ્રશ્નાર્થમાં સંશોધનોએ કેટલાક સ્પષ્ટ
પોઇન્ટર આપ્યા છે જેથી શું કાર્ય કરે છે. આ વર્ગખંડની શૈક્ષણિક પ્રથાને સુધારવાનો
આધાર પ્રશ્નો આપી શકે છે. સંશોધન દ્વારા ઓળખવામાં આવતી એક સામાન્ય સમસ્યા એ છે કે
વિદ્યાર્થીઓને વારંવાર જવાબ આપવા માટે પૂરતા 'રાહ જોવી' ન આપવામાં આવે છે; બીજું એ છે કે શિક્ષકો એક જ પ્રકારનાં ઘણા બધા પ્રશ્નો પૂછવા માગે
છે.
Subscribe to:
Posts (Atom)
શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...
એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા...
-
પ્રસ્તાવના : "શૈક્ષણિક ટેક્નોલોજી એ એવી પદ્ધતિઓ પ્રવિધિઓ અને પ્રણાણીઓનું શાસ્ત્ર છે કે જેના થકી શિક્ષણના ધ્યેયો સિદ્ધ કરી શકાય છે....
-
http://i.dtinews.vn/images/editor/images/ngovan/122012/27/Big/images221096_3d-model.jpg પ્રોજેક્ટ પદ્ધતિ એ એક આધુનિક પદ્ધતિ છે જેમા...
-
આજની શિક્ષણ વ્યવસ્થા સામે ઘણાં પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. સમગ્ર શિક્ષણ વ્યવસ્થા આધુનિક યુગ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવી છે પરંતુ વિદ...



