Sunday, 11 March 2018

વર્કશોપ પ્રયુક્તિ



વર્કશોપ પ્રયુક્તિમાં સામાન્ય રીતે કોઈપણ સર્જનાત્મક લેખન કે તાલીમના સંદર્ભે આયોજન થાય છે. જેમ કે ગઝલ કેવી રીતે લખવું (જ્ઞાનાત્મક પ્રવૃતિ, કૌશલ્યનો વિકાસ થાય), પુસ્તક સમીક્ષા કરવી (થિયરી અને સમીક્ષા કૌશલ્ય વિકસે) તેમજ ભાષા સર્જનાત્મકતા, સંશોધન લેખ કેવી રીતે લખી શકાય વગેરે.
મનોશારીરિક, ક્રિયાત્મક, જ્ઞાનાત્મક કૌશલ્યને વિકસાવવા માટે વર્કશોપ યોજાય છે.
વ્યાખ્યા :
10થી 25 વ્યક્તિઓનો એકત્રિત સમૂહ કે જેવો કોઈ સમાન સમસ્યા કે રસ ધરાવતા હોય, તેવા ઊંડાણપૂર્વકના અભ્યાસ સંશોધન મહાવરા અને ચર્ચા દ્વારા તેનું સમાધાન કરે કે અપેક્ષિત કૌશલ્ય પ્રાપ્ત કરે તે સંકલ્પનાને વર્કશોપ કહેવાય.
વર્કશોપ એ એક વિશાળ સમૂહ ચર્ચા પદ્ધતિ છે કે જેમાં જવાબદાર અનુભવી વ્યક્તિઓ, તજજ્ઞો અને સલાહકારો તેમના કાર્યો, વ્યવસાયમાં અનુભવાતી સમસ્યાઓ ઉકેલવા ભેગાય મળે.
વિશેષતાઓ :
-     નાના સમૂહમાં આકાર લે છે.
-     વર્કશોપનો ઉદ્દેશ્ય પ્રવૃત્તિ પ્રાયોગિક અનુભવો દ્વારા શીખવું એ હોય છે.
-     ભાગ લેનાર તાલીમાર્થીમાંથી ગ્રુપ લીડર કે રિપોર્ટર્સની નિમણૂક કરવામાં આવે છે.
-     વર્કશોપમાં દરેક સભ્યને કાર્ય કરવાની કંઈક સર્જન કરવાની તક પ્રાપ્ત થાય છે.
ઉદ્દેશ્યો :
-     કૌશલ્ય વિકસાવવા માટે
-     નવા વિચારોનો વિનિયોગ કરવા માટે
-     ઉપયોજન ક્ષમતા વિકસાવવા માટે
-     સમૂહ અધ્યયનના માધ્યમો પુરા પાડે.
-     એકબીજા પાસેથી શીખવાની તકો પ્રાપ્ત થાય.
-     પરિપક્વ અધ્યયન પર્યાવરણ પુરૂં પાડે.
મૂલ્યાકન : મૂલ્યાંકન માટે ટીમટીચિંગ, પ્રશ્નાવલીનો ઉપયોગ, અભિપ્રાયવલીનો ઉપયોગ કરી શકાય.
સોપાનો
1.       આયોજન
2.       રજૂઆત
3.       મૂલ્યાંકન

કયા વિષયો હોય શકે :
સમીક્ષા વર્કશોપ, ગઝલ વર્કશોપ, સર્જનાત્મક વર્કશોપ, માઈક્રોટીચિંગ, પાઠ આયોજન, વર્ગખંડમાં ક્રિયાત્મક સંશોધન, બ્લૂમ ટેક્સોનોમી, વર્ગખંડ અવલોકન કરવું, અભ્યાસક્રમની રચના કરવી.
સીટીઈ, ડાયેટ, આઈએએસઈ વગેરે દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવે.
સભ્યો – 1. વર્કશોપના ઓર્ગેનાઈઝર,
2. તાલીમાર્થીઓ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, બી.એડ્. વગેરે.
3. તજજ્ઞો
ફાયદા
-     ઉચ્ચ જ્ઞાનાત્મક કૌશલ્યો અને ક્રિયાત્મક-મનોશારીરિક કૌશલ્ય વિકસાવવા.
-     નવા સુધારણા, નવા કૌશલ્યો, વિકસાવવા માટે.
-     વ્યાવસાયિક ક્ષમતા સુધારવા માટે
-     શિક્ષણની સમસ્યાને વર્કશોપ દ્વારા તાલીમ આપી ઉકેલ લાવી શકાય.
મર્યાદા
-     આર્થિક અને સમયની દૃષ્ટિએ ખર્ચાળ.
-     શિક્ષકોમાં નીરસતા-નકારાત્મક્તા આવે.
-     યોગ્ય કૌશલ્યયુક્ત તજજ્ઞો મળવા મુશ્કેલ.
-     નાના સમૂહ માટે જ કામ આવે છે. જેમાં મોટા લેવલ પર વર્કશોપ થઈ શકતું નથી.
-     એકવાર તાલીમ અપાયા બાદ તેનું ફલોઅપ થતું નથી,
સંદર્ભ :



No comments:

શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...

     એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા...