Wednesday, 8 March 2017

એન્ડ્રાગોગીના સિદ્ધાંતો અને ઉપયોગો

એન્ડ્રાગોગીના સિદ્ધાંતો :

  1.  પુખ્તવયના વિદ્યાર્થીઓ ત્યારે જ ભણે જ્યારે તેમને અનુભવાય કે ભણવું જરૂરી છે.
    -પુખ્તવયના વિદ્યાર્થીઓ ભણવાની બાબતમાં વ્યવહારું હોય છે.
  2. પુખ્તવયના વિદ્યાર્થીઓ ભણવા ઇચ્છે જ છે. જ્યારે તેઓને પોતાના અધ્યનની દિશા નક્કી કરવાનું નિયંત્રણ મળે અને અધ્યયન માટેની પ્રબળ આંતરિક પ્રેરણા થાય ત્યારે તેઓ અસરકારક રીતે ભણે છે.
  3. પુખ્તવયના વિદ્યાર્થીઓ કાર્ય દ્વારા શિક્ષણને વધુ પ્રાધાન્ય આપે છે અને અધ્યયનમાં સક્રિય ભાગીદારી ઝંખે છે.
  4. પુખ્તવયના વિદ્યાર્થીઓના અધ્યયનની શરૂઆત એક સમસ્યાથી થાય છે અને તેઓ આ સમસ્યાના ઉકેલ માટે કાર્ય કરે છે. એટલે કે તેમનું અધ્યયન એ વાસ્તવિક અને રોજબરોજના સમસ્યાઓથી કેન્દ્રિત થાય છે.
  5. વિદ્યાર્થીઓનો અનુભવ તેના અધ્યયનને અસર કરે છે. અને આ જ અનુભવ તેના અધ્યયન માટે બોજારૂપ તેમજ સહાયકારક છે.
  6. પુખ્તવયના વિદ્યાર્થીઓને માર્ગદર્શનની જરૂર છે પણ આ માર્ગદર્શનમાં તેમને શું કરવાનું છે તે કહેવાની જરૂર નથી. પરંતુ તેઓ શું કરી શકે છે તેના વિકલ્પો આપતા માર્ગદર્શનની જરૂર છે.
  7. પુખ્તવયના વિદ્યાર્થીઓ અવૈધાનિક પરિસ્થિતિમાં ખૂબ સારૂં અધ્યયન કરી શકે છે.


એન્ડ્રાગોગીના ઉપયોગો :

  • તમારા વિદ્યાર્થીને જણાવો કે આ વસ્તુ તમે શા માટે ભણાવી રહ્યા છો.
  • તેમને પોતાની જાતે ઉકેલ શોધી શકે તે રીતે શિક્ષણ આપો.
  • કોઈ નિશ્છિત ધ્યેય અથવા કોઈ નિશ્ચિત કાર્ય કરવાનું જણાવો જે ચોક્કસ સમય મર્યાદામાં અને ચોક્કસ ગુણવત્તાવાળું હોવું જરૂરી હોય અને અલગ-અલગ અનુભવવાળા વિદ્યાર્થીને અધ્યયનમાં મદદરૂપ થાય તેવા અધ્યયન માટેના સ્ત્રોતો જણાવો.

ટીકાઓ :

  1. દરેક વિદ્યાર્થીનો સેલ્ફ કંડિશ શ્રેષ્ઠ નથી.
  2. એન્ડ્રાગોગીએ ખરેખર એક આદર્શ છે અને એ એક પૂર્વધારણા છે અને આ પૂર્વધારણા ખોટી પણ હોઈ શકે.
  3. તમામ કંટ્રોલ વિદ્યાર્થીઓના હાથમાં દઇ દેવું પણ જોખમ છે. 

No comments:

શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...

     એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા...