એન્ડ્રાગોગીના સિદ્ધાંતો :
પુખ્તવયના વિદ્યાર્થીઓ ત્યારે જ ભણે જ્યારે તેમને અનુભવાય કે ભણવું જરૂરી છે.
-પુખ્તવયના વિદ્યાર્થીઓ ભણવાની બાબતમાં વ્યવહારું હોય છે.
- પુખ્તવયના વિદ્યાર્થીઓ ભણવા ઇચ્છે જ છે. જ્યારે તેઓને પોતાના અધ્યનની દિશા નક્કી કરવાનું નિયંત્રણ મળે અને અધ્યયન માટેની પ્રબળ આંતરિક પ્રેરણા થાય ત્યારે તેઓ અસરકારક રીતે ભણે છે.
- પુખ્તવયના વિદ્યાર્થીઓ કાર્ય દ્વારા શિક્ષણને વધુ પ્રાધાન્ય આપે છે અને અધ્યયનમાં સક્રિય ભાગીદારી ઝંખે છે.
- પુખ્તવયના વિદ્યાર્થીઓના અધ્યયનની શરૂઆત એક સમસ્યાથી થાય છે અને તેઓ આ સમસ્યાના ઉકેલ માટે કાર્ય કરે છે. એટલે કે તેમનું અધ્યયન એ વાસ્તવિક અને રોજબરોજના સમસ્યાઓથી કેન્દ્રિત થાય છે.
- વિદ્યાર્થીઓનો અનુભવ તેના અધ્યયનને અસર કરે છે. અને આ જ અનુભવ તેના અધ્યયન માટે બોજારૂપ તેમજ સહાયકારક છે.
- પુખ્તવયના વિદ્યાર્થીઓને માર્ગદર્શનની જરૂર છે પણ આ માર્ગદર્શનમાં તેમને શું કરવાનું છે તે કહેવાની જરૂર નથી. પરંતુ તેઓ શું કરી શકે છે તેના વિકલ્પો આપતા માર્ગદર્શનની જરૂર છે.
- પુખ્તવયના વિદ્યાર્થીઓ અવૈધાનિક પરિસ્થિતિમાં ખૂબ સારૂં અધ્યયન કરી શકે છે.
એન્ડ્રાગોગીના ઉપયોગો :
- તમારા વિદ્યાર્થીને જણાવો કે આ વસ્તુ તમે શા માટે ભણાવી રહ્યા છો.
- તેમને પોતાની જાતે ઉકેલ શોધી શકે તે રીતે શિક્ષણ આપો.
- કોઈ નિશ્છિત ધ્યેય અથવા કોઈ નિશ્ચિત કાર્ય કરવાનું જણાવો જે ચોક્કસ સમય મર્યાદામાં અને ચોક્કસ ગુણવત્તાવાળું હોવું જરૂરી હોય અને અલગ-અલગ અનુભવવાળા વિદ્યાર્થીને અધ્યયનમાં મદદરૂપ થાય તેવા અધ્યયન માટેના સ્ત્રોતો જણાવો.
ટીકાઓ :
- દરેક વિદ્યાર્થીનો સેલ્ફ કંડિશ શ્રેષ્ઠ નથી.
- એન્ડ્રાગોગીએ ખરેખર એક આદર્શ છે અને એ એક પૂર્વધારણા છે અને આ પૂર્વધારણા ખોટી પણ હોઈ શકે.
- તમામ કંટ્રોલ વિદ્યાર્થીઓના હાથમાં દઇ દેવું પણ જોખમ છે.
No comments:
Post a Comment