Thursday, 14 September 2017

સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને રાષ્ટ્રગીતનું સન્માન...???

સરકારી શૈક્ષણિક સંસ્થામાં રાષ્ટ્રગીતનું સન્માન કેટલું જળવાઈ છે તે ઓચિંતા મુલાકાત લો ત્યારે જ ખબર પડે. ત્યાંના કેટલાક કર્મચારીને 52 સેકન્ડ ઊભા રહેવાની તકલીફ પડે છે. તેના મનમાં તો એમ જ હોઈ છે કે મને તો શું લાગે વળગે.. સરકાર એમ પણ પગાર આપવાની જ છે... હું ઊભો રહું કે ના રહું મહિનો પૂરો થાય એટલે પગાર બેંકખાતામાં જમા થઈ જશે. પણ રાષ્ટ્રીય મૂલ્યો જ ભૂલી જનારા સરકારી કર્મચારી કેટલા? જો રિસર્ચ કરવામાં આવે તો મોટે ભાગે સરકારી કર્મચારીઓ આવી રીતે રાષ્ટ્રગીત ગવાતું હોઈ તો પણ તેઓ 'ગમે તે કામ' કરતા જોવા મળશે. તો રાષ્ટ્રગીત માત્ર ને માત્ર સ્વતંત્ર દિવસ અને ગણતંત્ર દિન પૂરતો જ મર્યાદિત રહી જાય. હવે તો થિયેટરમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રીય ગાન ગવાતું હોય છે. ત્યાં પણ જે સન્માન જળવાતું નથી. પહેલ સારી છે પરંતુ લોકોમાં જ્યાં સુધી પોતે જ પોતાની જાતને સુધારે નહીં ત્યાં સુધી આ માત્ર ને માત્ર ઊભા રહેવા પૂરતું જ રહેશે.
અહીં લખવાનું મન એટલે થયું કે એક શિક્ષણ મહાવિદ્યાલયમાં રિસર્ચ ભાગરૂપે માહિતી એકત્રીકરણ માટે જવાનું થયું. ત્યાં આચાર્યને મળી ને માહિતી એકત્રીકરણ માટે મંજૂરી લઈ લીધી. થોડી વાર બેસો અને અન્ય શિક્ષક તમારી મદદ કરશે. હું અને મારો મિત્ર ત્યાં કાર્યાલયની બહાર બેઠા. મદદરૂપ થનાર શિક્ષકે કહ્યું પ્રાર્થના પૂર્ણ થાય એટલે તમને બોલવું. થોડીવાર પછી પ્રાર્થના ગાતા તાલીમાર્થીઓનો અવાજ સંભળાયો... પ્રાર્થનાના શબ્દો હતા 'તમે મન મૂકી ને વર્ષ્યા' હું મારા મિત્ર ને એજ વાત કરી રહ્યો હતો કે હું જ્યારે શિક્ષક બનવાની તાલીમ લઈ રહ્યો હતો ત્યારે પણ આજ પ્રાર્થના ગાતા. થોડી વાર પછી રાષ્ટ્રગીતનો અવાજ સાંભળતાં જ હું ને મારો મિત્ર ઊભા થઈ ગયા. પણ કાર્યાલયની અંદર કાર્ય કરી રહેલા કર્મચારી અને બહાર બેઠેલાં કેટલાક બિન શૈક્ષણિક કર્મચારી જેમ બેઠા તેમ બેઠા જ તેની ઉપર કોઈ રાષ્ટ્રગીતની અસર જ ન હતી. રાષ્ટ્રગીત પૂર્ણ થયા પછી. કેવા કર્મચારીઓ હોય છે સરકારી ખાતાઓમાં જેને કંઈજ પડેલી ન હોય.. કાયદો તો કહે છે કે કોઈ ને બળજબરીથી રાષ્ટ્રગીત ગાવા પર મજબુર ના કરી શકાય. પરંતુ તેને એટલો હક આપી દેવાનો કે તમારે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે બેઠાં બેઠાં મસ્ત સાંભળ્યા કરવાનું...?! ચાલો માની લઈએ કે તમે બહાર રોડ પર જતાં હોય ને રાષ્ટ્રગીત ગવાતું હોય ને ના ઊભા રહી શકો તો ત્યારે કોઈ કામ અર્થે નીકળ્યા હોય શકે. પરંતુ જ્યાં સરકારી તાલીમ આપનારી સંસ્થામાં જ આવું જોવા મળે તો ખાનગી સંસ્થા પર શું આશા રાખી શકો. કેટલીક સરકારી હોય કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ એવી હોય છે કે જ્યાં આવી સંપૂર્ણ શિસ્તબદ્ધતા જોવા મળતી હોય છે કે જેમાં જરાપણ રાષ્ટ્રગીત માટેનું અપમાન ચાલવી લેવાતું નથી. તો એવી સંસ્થાઓ પાસેથી કંઈક શીખવું જરૂરી છે.
જો કોઈ રાષ્ટ્રગીત ને સન્માન ના આપી શકે તો સરકારી હોય ક ખાનગી સંસ્થા ગાવાનું બંધ કરી દેવું જોઈએ. માત્ર શિક્ષક અને વિદ્યાર્થીઓ જ સન્માન કરે એવું કોને કહ્યું આ તો આપણા દેશની શાન છે જેને ગાતા ગાતા શહીદી વહોરનારા વીર શહીદો કેટલા બધા... તો આપણે તો તેઓની આગળ સામાન્ય માણસ છીએ તો પણ રાષ્ટ્રગીત ને બેઠાં બેઠાં સન્માન શા માટે... વધુમાં વધુ સવા મિનિટ ઊભા રહેશો પણ તેનાથી કમર દર્દ નહીં વધી જાય... કે જેથી બેસી જ રહો ભલે ને જેને જે ગાવું હોય તે ગાય આપણે શું...
ખરેખર ભારતીય હોવાનું ગર્વ હોય તો જ્યારે પણ રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે તેને વ્યવસ્થિત ઊભા રહી માન-સન્માન આપવું જોઈએ. કારણ કે રાષ્ટ્રગીત અમૂલ્ય વિરાસતમાં આપણને મળ્યું છે.
જય હિન્દ...

Friday, 10 March 2017

આઈસીટીનો શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપયોગ

  • વિદ્યાર્થીઓનું રજિસ્ટર બનાવવા
  • પ્રવેશ વખતે એન્ટ્રી કરવા
  • વિદ્યાર્થીઓની ફી તેમજ અન્ય કાર્ય માટે ઉપયોગી
  • વિદ્યાર્થીઓની દરવર્ષની માહિતી સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા
  • પરીક્ષાના માર્કસ અને માર્કસીટ બનાવવા
  • શૈક્ષણિક સંસ્થાના વિવિધ વિભાગોની માહિતી માટે
  • શૈક્ષણિક સંસ્થાના વિવિધ કાર્યક્રમો ઉપયોગી
  • કમ્પ્યૂટર લેબ, લાઇબ્રેરી વગેરેમાં ઉપયોગી


ઉપસંહાર
આમ, આઈસીટીની ભૂમિકા એ દરેક જગ્યાએ મહત્ત્વની છે. તેમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ શિક્ષણના દરેક પાસાંઓને આધુનિક શૈક્ષણિક ટેક્નોલોજીનાં માધ્યમથી પ્રભાવિત કરવા શિક્ષક સદૈવ સક્રિય બને એવો શૈક્ષણિક ટેક્નોલોજી અને માહિતી પ્રત્યાયન તકનિકીને મુખ્ય ધ્યેય ગણાવી શકાય.

સંદર્ભ  :
- શિક્ષણમાં માહિતી અને પ્રત્યાયન ટેક્નોલોજી. - લેખક  ડૉ. રાજેન્દ્ર બી. પટેલ
- શૈક્ષણિક ટેક્નોલોજી અને શાળા વ્યવસ્થાપન  - લેખક ડૉ. વિનય એન. પટેલ

વિદ્યાર્થીઓ આઈસીટીનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે?



વિદ્યાર્થીઓ વિવિધ રીતે આઈસીટીનો શિક્ષણમાં ઉપયોગ કરી શકે છે.
જેમકે,
  • કમ્પ્યૂટર પ્રોજેક્ટ વર્ક કરી શકે છે.
  • ઇન્ટરનેટ પરથી સંબંધિત સાહિત્યની શોધ કરી શકે છે.
  • ઇ-બૂક શોધી અધ્યન કરી શકે છે.
  • વ્યાખ્યાતાઓના વ્યાખાનો જોઈ શકે છે.
  • વિડીયો દ્વારા અધ્યન કરી શકે છે
  • પોતાનું સર્જન ઇન્ટરનેટ પર મૂકી વિશ્વમાં ફેલાવી શકે છે.
  • કમ્પ્યૂટર પર પીપીટી બનાવી સરળતાથી રજૂઆત કરી શકે છે.
  • વર્ગખંડમાં આઈસીટીનો ઉપયોગ કરી કોઈપણ ટોપીકને સરળતાથી સમજી શકાય.
  • દૃશ્ય-શ્રાવ્ય સાધનો ઉપયોગ.
  • ઓનલાઇન રિસર્ચ
  • વિશ્વની માહિતી મેળવી શકે
  • ઇ-મેઇલ દ્વારા વ્યવહાર કરી શકે
  • વેબસાઇટ, બ્લોગ બનાવી શિક્ષણની માહિતી ઉપલબ્ધ કરી શકે

વિવિધ ICTનો શિક્ષણમાં ઉપયોગ


  • ડિજિટલ પ્રકાશનો

        મુદ્રણકલાની શોધથી અધ્યાપન-અધ્યયન ક્ષેત્રે ક્રાંતિ થઇ હતી. આજે આવી જ ક્રાંતિ ડિજિટલ સ્વરૂપે ઉબલ્ધ પુસ્તકો દ્વારા થઇ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ-1થી 12નાં પાઠ્યપુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી જ્ઞાન ભાષામાં (http://gujarat-education.gov.in/textbook/)ઇન્ટરનેટમાં માધ્યમથી ઉલબ્ધ કરાવાયા છે. આ ઉપરાંત NCERT દ્વારા CBSEનાં અભ્યાસક્રમ માટેના ધો.1થી 12ના પુસ્તકો પણ ઉપલબ્ધ કરવાયા છે. (http://www.ncert.nic.in/NCERTS/textbook/textbook_hindi.html)જેનો નિઃશુલ્ક ડોઉનલોડ કરી શકાય છે. વાંચી શકાય તેમજ મોબાઇલ, લેપટોપ કે કમ્પ્યૂટર પર પણ વાંચી શકાય છે. તેમજ Amazon.com, books.google.co.in, bookboon.net જેવી અસંખ્ય વેબસાઇટ્સ પરથી ઉત્તમ શૈક્ષણિક પુસ્તકો પ્રાપ્ત થાય છે. કેટલાક પુસ્તકો અોડિયો સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. જ્યારે સ્માર્ટ ફોનમાં પુસ્તક માટેની અેપ્લીકેશન બનાવવામાં આવી છે.  વિખ્યાત લેખકોના ગ્રંથો કે પુસ્તકોનું શીર્ષક જે હોય તે નામથી એપ્લીકેશન બનનાવવામાં આવી હોય છે.
  • ટેલિવિઝન

         ટેલિવિઝને મનોરંજનના અેક સાધન તરીકે ઘર ઘરમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમય જતાં ટેલિવિઝન દ્વારા રજૂ થતા દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમોની અસરકારકતાનો ઉપયોગ શિક્ષણમાં પણ થવા લાગ્યો. ભારતમાં દૂરદર્શન ઉપર વર્ષોથી ચોક્કસ સમયે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારણ કરતી ચેનલ શરૂ કરી છે. જેની મદદથી IGNOUના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થાય છે. આ ઉપરાંત (Consortium for Educational Communication, MHRD) અને UGCના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ માટેની વિશેષ ટેલિવિઝન ચેનલ શૈક્ષણિક કાર્યક્રમો પ્રસ્તારિત કરે છે. ગુજરાતમાં શૈક્ષણિક ટેલિવિઝન ક્ષેત્રે BISAGના માધ્યમથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરતી DTH ચેનલો કાર્યરત છે. ઉપરાંત ડિસ્કવરી, નેશનલ જીઓગ્રાફી ચેનલ વગેરે કાર્યરત છે.
  • કમ્પ્યૂટર

          કમ્પ્યૂટરની શોધ અને તેના પ્રસારે દુનિયામાં શિક્ષણની કેટલીક વિભાનાઓ બદલી નાખી છે. શિક્ષકકેન્દ્રી શિક્ષણને વિદ્યાર્થીકેન્દ્રી બનાવવામાં અત્યંત ઉપયોગ આઈસીટી કમ્પ્યૂટર છે. જેના શૈક્ષણિક સંસ્થા અને શિક્ષણના તમામ કામો શક્ય બન્યા છે.
  • ઇન્ટરનેટ 

          ઇન્ટરનેટ એટલે વિશ્વભરમાં પથરાયેલું કમ્પ્યૂટર પરસ્પર સંકલિત જાળું એવું સાદો અર્થ આપણે લઇ શકીએ છીએ. ઇન્ટરનેટે વિશ્વને એક વૈશ્વિક ગ્રામ બનાવી દીધું છે. ગમે તે સમયે ગમે તે સ્થળે શિક્ષણની સંકલ્પના ઇન્ટરનેટ થકી સાકાર થઇ શકે છે. જેથી ઇન્ટરેટના માધ્યમથી માહિતીની આદાન-પ્રદાન માટે એક ઉમદા માધ્યમ બન્યું છે. વિશ્વની કોઈપણ વ્યક્તિ ક્ષણવારમાં જ માહિતી મેળવી શકે છે.

  • મોબાઇલ

          મોબાઇલ ફોનનાં વિકાસ અને સહજ સુલભતા દ્વારા ટેલિકોમ્યુનિકેશન-પ્રત્યાયન ક્ષેત્રે જ ક્રાંતિ આવી છે તેની કલ્પના અગાઉના વર્ષોમાં કરવી મુશ્કેલ હતી. તેમાં પણ સ્માર્ટફોનની શોધથી મોબાઇલ કમ્પ્યૂટર જેવાં બની ગયા છે. આજે મોબાઈલ ફોનમાં શિક્ષણ મેળવી શકાય તેવી અનેક એપ્સ આવે છે. જેનાથી ભાષા, ગણિત, સમાજશાત્ર, સામાન્યજ્ઞાન વગેરેનું શિક્ષણ મેળવી શકાય છે. તેમજ મનોરંજન માટે પણ ઉપયોગી બન્યું છે.

શિક્ષણ ક્ષેત્રે ICTનું મહત્ત્વ



  •  ગમે તે સમયે, ગમે ત્યાં શિક્ષણની સુવિધા મળી શકે છે.
  • ઇન્ટરનેટ, કમ્પ્યૂટર અને મોબાઇલની મદદથી આજે એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી થઇ શકી છે કે જેની મદદથી વિદ્યાર્થી શાળા-કોલેજ સમય બાદ પણ પોતાના ઘરેથી મુસાફરી દરમિયાન અને ગમે તે સ્થળેથી શિક્ષણ મેળવી શકે છે. દિવસના ચોવીસ કલા અને અઠવાડિયાના સાતેય દિવસ શૈક્ષણિક સામગ્રી ઉપબ્ધ હી શકે તેવી વ્યવસ્થા આઈસીટી થકી ઊભી થઇ શકે છે.  આઈસીટી શિક્ષણ ક્ષેત્રે વધુ વેગવંતુ બન્યું છે. જેમાં વર્ગખંડમાં શિક્ષણને અસરકારક બનાવવા માટે શિક્ષક દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરે છે. કમ્પ્યૂટર પર શિક્ષણ કાર્ય કરાવે છે. જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની અભિરૂચિ જળવાઇ રહે.
  • શિક્ષણમાં આઈસીટીનું મહત્ત્વ નીચે મુજબ છે.  
  1. અધ્યનની અસરકારકતા વધારવા
  2. નવીન શૈક્ષણિક પદ્ધતિઓનો ઉપયોગ 
  3. જ્ઞાનની ઝડપને પહોંચી વળવા.
  4. દૂરવર્તી શિક્ષણ માટે
  5. જ્ઞાનાત્મક શક્તિનો વિકાસ
  6. જ્ઞાનના આદાન-પ્રદાનને સરળ અને રસપૂર્ણ બનાવવું.
  7. શૈક્ષણિક ધ્યેયોની સિદ્ધિ
  8. વિવિધ સાધનોનો વર્ગખંડમાં ઉપયોગ
  9. નોકરીની જાણકારી માટે
  10. વિકલાંગ બાળકોને શિક્ષણ
  11. સ્વપ્રયત્ને શિક્ષણ પદ્ધતિઓનો વિકાસ
  12.  વિદ્યાર્થીની નીરસતા દૂર કરે
  13. વર્ગખંડમાં વાતાવરણને જીવંત રાખવા 
  14. વિવિધ રોગો પ્રત્યે જાગૃતિ 
  15. વ્યક્તિગત-સામૂહિક શિક્ષણ આપવા.

ICTનો પરિચય અને અર્થ

પ્રસ્તાવના :

"શૈક્ષણિક ટેક્નોલોજી એ એવી પદ્ધતિઓ પ્રવિધિઓ અને પ્રણાણીઓનું શાસ્ત્ર છે કે જેના થકી શિક્ષણના ધ્યેયો સિદ્ધ કરી શકાય છે." - ડૉ. એસ. એસ. કુલકર્ણી

વર્તમાન સમય એ ટેક્નોલોજી અને જ્ઞાનથી ભરપૂર છે. જ્યાં રોજબરોજ વ્યક્તિ ટેક્નોલોજી સાથે જોડાયેલો છે. પહેલાંના જમાનામાં એક વૃક્ષ નીચે ગુરૂ અને શિષ્ય વચ્ચે શિક્ષણ કાર્ય થતું હતું. પરંતુ વર્તમાન સમય એ વિદ્યાર્થી જાતે પણ ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આજનું શિક્ષણ એ ટેક્નોલોજીથી ભરપૂર છે. જેમાં રોજ વિદ્યાર્થી ટેક્નોલોજી સાથે અધ્યયન કરતો થઇ ગયો છે. વર્ગખંડમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

શૈક્ષણિક ટેક્નોલોજીનો પરિચય અને અર્થ

પરિચય :

માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકીમાં ત્રણ મૂળભુત સંકલ્પનાઓ રહેલી છે. માહિતી, પ્રત્યાયન અને તેને સંંબંધિત પ્રૌદ્યોગિકી. માહિતી એટલે સચોટ રીતે ગોઠવાયેલ હકીકતો કે જે કોઈ બાબત પ્રત્યેની સમજ સ્પષ્ટ કરે. ઉદાહરણ તરીકે પરિણામપત્રકમાં વિવિધ વિષયોના ગુણ-ટકાવારી, પરિણામ જેવી હકીકતોની રજૂઆતથી વ્યક્તિનાં શૈક્ષણિક સ્તરની માહિતી પ્રાપ્ત થાય છે. પ્રત્યાયન એટલે લેખિત, મૌખિક કે અ્ન્ય અશાબ્દિક રીતે માહિતીની તેનાં મૂળ અર્થમાં જ એક સ્થળેથી બીજા સ્થળે અથવા એક વ્યક્તિથી બીજી વ્યક્તિઓ સુધી પહોંચાડવાની ક્રિયા.ઉદાહરણ તરીકે વર્ગખંડમાં શિક્ષક પરીક્ષા સંબંધિત જાહેરાત કરે અને વિદ્યાર્થી સુધી જો તે યોગ્ય રીતે પહોંચ તો ત્યાં પ્રત્યાયન થાય છે.  નોટિસ બોર્ડ પર મુકેલ પરીક્ષાનું સમયપત્રક વિદ્યાર્થી વાંચે ત્યારે ત્યાં પણ સમયપત્રક બનાવનાર દ્વારા પરીક્ષાની માહિતીનું પ્રત્યાયન થાય છે. ત્રીજી સંકલ્પના છે પ્રૌદ્યોગિકી એટલે કોઈ ચોક્કસ હેતુ માટે વૈજ્ઞાનિક જ્ઞાનનું ઉપયોજન કરવું. ઉદાહરણ તરીકે આજે તમે એક બીજા સાથે વાતચીત કરવાના હેતુસર મોબાઇલનો ઉપયોગ કરો છો તો તે ટેક્નોલોજી છે.
ટીવી, રેડિયો, કમ્પ્યૂટર, ટેલિફોન, મોબાઇલ, સેટેલાઇટ જેવા અ્નેક આધુનિક ઉપકરણો કે જે પ્રૌધોગિક વિકાસ પછી આપણને પ્રાપ્ત થાય છે તેવા ઉપકરણો અને ઇન્ટરનેટ, વિવિધ સોફ્ટવેર્સ જેવા અનેક સ્ત્રોતોની મદદથી માહિતીનું સર્જન, પ્રસાર, સંગ્રહ અને વ્યવસ્થાપન કરવું.
ઘણીવાર ICT શબ્દ IT(માહિતી પ્રૌદ્યોગિકી)નાં પર્યાય તરીકે ઉપયોગમાં લેવાય છે. પરંતુ ખરેખર તો ITએ ICTનો ઉપયોગ છે, એટલે કે ICTમાં ITનો સમાવેશ તો છે, પરંતુ તે સિવાય ઘણું વિશાળ ક્ષેત્ર તે ધરાવે છે. ITએ મુખ્યત્વે કમ્પ્યૂટર નેટવર્ક, સોફ્ટવેર અને અન્ય ઉપકરણોની મદદથી માહિતીનું વ્યવસ્થાપન કરે છે. ICT એ વધુ વ્યાપક અને શિક્ષણમાં વધુ સ્વીકૃત શબ્દ છે.

 

અર્થ :

શૈક્ષણિક ટેક્નોલોજીના સામાન્ય અર્થ શિક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેક્નોલોજી એવો અર્થ થાય છે. જેને અંગ્રેજીમાં Education Technology કહેવાય છે.
ગુજરાતીમાં ટેક્નોલોજી માટે પ્રવિધિ, પ્રૌદ્યોગિકી, તકનિકી જેવા શબ્દો પ્રચલિત છે. એજ્યુકેશન ટેક્નોલોજી શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ઈ. સ. 1950માં ઇંગ્લેન્ડમાં બ્રાઈનમરના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

અહીં ICTનો અર્થ Information (માહિતી) Communication (પ્રત્યાયન) Technology (તકનિકી).
માહિતી : માહિતી એટલે ડેટા પર પ્રક્રિયા કરવાથી મળતી નીપજ.
પ્રત્યાયન : પ્રત્યાયન એટલે સંદેશાઓ વડે થતી સામાજિક વાતચીત.
તકનિકી : ટેક્નોલોજી એટલે કે વિજ્ઞાનના સિદ્ધાંત અને ટેકનિકોનીમદદથી અવનવા સાધનો, પદાર્થો, ઉપકરણો અને પદ્ધતિઓનો વિકાસ કરવાની માનવજીવનને ઉન્નત અને ઉત્કષ્ટ બનાવવાની પ્રક્રિયા.

Thursday, 9 March 2017

Andragogy V/S Pedagogy


Androgogy vs. Pedagogy





ક્રમ
પેડાગોજીકલ
એન્ડ્રાગોગીકલ
1
અધ્યેયતાપક્ષે
અધ્યેયતાપક્ષે

  •  વિદ્યાર્થી પોતાના અધ્યયન માટે શિક્ષક પર આધાર રાખે છે.
  • શિક્ષક એવું માને છે કે વર્ગમાં જે કંઈ ભણવાનું છે અને વિદ્યાર્થીએ જે કંઈ ભણવું છે એ સંપૂર્ણ જવાબદારી શિક્ષકની છે.
  •  વિદ્યાર્થી પોતાના અધ્યયન માટે પોતાના પર આધાર રાખે છે.
  • વર્ગમાં જે કંઈ ભણાવવાનું છે અને વિદ્યાર્થીએ જે કંઈ ભણવું છે, એ સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની છે.
 2
વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનને લગતી ભૂમિકા
વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનને લગતી ભૂમિકા

  • પેડાગોજીમાં વિદ્યાર્થી ખૂબ ઓછો અનુભવ ધરાવે છે. માટે તેના અનુભવોને અધ્યનના સ્ત્રોત તરીકે ન લઇ શકાય.
  •  વિદ્યાર્થીને કોઈ અનુભવ ન હોવાથી બીજા વિદ્યાર્થી માટે સ્ત્રોત ન બને.
  •  વિદ્યાર્થી ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. માટે તેના અનુભવને અધ્યનના સ્ત્રોત તરીકે લઇ શકાય છે.
  •  એક વિદ્યાર્થીનો અનુભવ બીજા વિદ્યાર્થી માટે પણ સ્ત્રોત બને છે.
  •  વિદ્યાર્થીનો જે આ અનુભવ છે તે પોતાના સ્વની ઓળખ માટેનો મુખ્ય સ્ત્રોત અનુભવ છે.
3
 ભણવાની તત્પરતા
 ભણવાની તત્પરતા

  • ભણવાની તત્પરતા પ્રમાણે જોઈએ તો શું ભણવાનું, ક્યારે ભણવાનું એ બધું વિદ્યાર્થીઓને કહેવું પડે છે એમને શીખવવું પડે છે.
  •  એન્ડ્રાગોગીમાં પુખ્તવયના વિદ્યાર્થીઓને આવી કોઈ જરૂર પડતી નથી. તેઓ ભણવામાં પોતે તત્પર હોય છે.
  •  જીવનમાં સમસ્યાઓને ઉકેલવાની ઉદ્દેશથી તેઓ ભણવામાં પોતે તત્પરતા દર્શાવે છે.
4
અધ્યયનની અભિમુખતા
અધ્યયનની અભિમુખતા

  • વિદ્યાર્થીને કોઈ ચોક્કસ વિષયનું જ્ઞાન મળે તેની જરૂરીયાત છે અને વિદ્યાર્થીઓ સમજી કે ભણી શકે તેવા ક્રમમાં વિષયવસ્તુ ગોઠવાયેલું છે.
  •  અહીં વ્યવહારમાં ઉપયોગી જ હોય એવું જ્ઞાન લેવાની જરૂરિયાત નથી.
  •  વાસ્તવિક જીવન સાથે સંબંધિત જ્ઞાન એ પહેલી અને મૂળ પાયાની જરૂરીયાત છે.
  •  વિદ્યાર્થીઓ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સક્ષમ હોવાથી ફક્ત વિષયવસ્તુની રજૂઆત કરી દેવી પૂરતી નથી, પણ તેમના જીવન અથવા કાર્ય સાથે સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવે તેવા અધ્યયન અનુભવોની આવશ્યક્તા છે.
5
ભણવા માટેની પ્રેરણા
ભણવા માટેની પ્રેરણા

  • વિદ્યાર્થીઓ બહારના દબાણથી ગુણ  માટેની હરિફાઇથી અથવા નિષ્ફળતાના પરિણામોમાંતી પ્રેરીત થાય છે.
  • સારું જીવનધોરણ મળ્યું હોય તો તેમાંથી પ્રેરિત થાય.
  •   તમને સારી પ્રેરણા મળે તો તેનાથી પ્રેરિત થાય.
  •   તમારો આત્મવિશ્વાસ, તમારી સ્વસંકલ્પના, તમારો ગુમાન, વગેરેથી તમે પ્રેરિત થાવ.

Wednesday, 8 March 2017

એન્ડ્રાગોગીના સિદ્ધાંતો અને ઉપયોગો

એન્ડ્રાગોગીના સિદ્ધાંતો :

  1.  પુખ્તવયના વિદ્યાર્થીઓ ત્યારે જ ભણે જ્યારે તેમને અનુભવાય કે ભણવું જરૂરી છે.
    -પુખ્તવયના વિદ્યાર્થીઓ ભણવાની બાબતમાં વ્યવહારું હોય છે.
  2. પુખ્તવયના વિદ્યાર્થીઓ ભણવા ઇચ્છે જ છે. જ્યારે તેઓને પોતાના અધ્યનની દિશા નક્કી કરવાનું નિયંત્રણ મળે અને અધ્યયન માટેની પ્રબળ આંતરિક પ્રેરણા થાય ત્યારે તેઓ અસરકારક રીતે ભણે છે.
  3. પુખ્તવયના વિદ્યાર્થીઓ કાર્ય દ્વારા શિક્ષણને વધુ પ્રાધાન્ય આપે છે અને અધ્યયનમાં સક્રિય ભાગીદારી ઝંખે છે.
  4. પુખ્તવયના વિદ્યાર્થીઓના અધ્યયનની શરૂઆત એક સમસ્યાથી થાય છે અને તેઓ આ સમસ્યાના ઉકેલ માટે કાર્ય કરે છે. એટલે કે તેમનું અધ્યયન એ વાસ્તવિક અને રોજબરોજના સમસ્યાઓથી કેન્દ્રિત થાય છે.
  5. વિદ્યાર્થીઓનો અનુભવ તેના અધ્યયનને અસર કરે છે. અને આ જ અનુભવ તેના અધ્યયન માટે બોજારૂપ તેમજ સહાયકારક છે.
  6. પુખ્તવયના વિદ્યાર્થીઓને માર્ગદર્શનની જરૂર છે પણ આ માર્ગદર્શનમાં તેમને શું કરવાનું છે તે કહેવાની જરૂર નથી. પરંતુ તેઓ શું કરી શકે છે તેના વિકલ્પો આપતા માર્ગદર્શનની જરૂર છે.
  7. પુખ્તવયના વિદ્યાર્થીઓ અવૈધાનિક પરિસ્થિતિમાં ખૂબ સારૂં અધ્યયન કરી શકે છે.


એન્ડ્રાગોગીના ઉપયોગો :

  • તમારા વિદ્યાર્થીને જણાવો કે આ વસ્તુ તમે શા માટે ભણાવી રહ્યા છો.
  • તેમને પોતાની જાતે ઉકેલ શોધી શકે તે રીતે શિક્ષણ આપો.
  • કોઈ નિશ્છિત ધ્યેય અથવા કોઈ નિશ્ચિત કાર્ય કરવાનું જણાવો જે ચોક્કસ સમય મર્યાદામાં અને ચોક્કસ ગુણવત્તાવાળું હોવું જરૂરી હોય અને અલગ-અલગ અનુભવવાળા વિદ્યાર્થીને અધ્યયનમાં મદદરૂપ થાય તેવા અધ્યયન માટેના સ્ત્રોતો જણાવો.

ટીકાઓ :

  1. દરેક વિદ્યાર્થીનો સેલ્ફ કંડિશ શ્રેષ્ઠ નથી.
  2. એન્ડ્રાગોગીએ ખરેખર એક આદર્શ છે અને એ એક પૂર્વધારણા છે અને આ પૂર્વધારણા ખોટી પણ હોઈ શકે.
  3. તમામ કંટ્રોલ વિદ્યાર્થીઓના હાથમાં દઇ દેવું પણ જોખમ છે. 

એન્ડ્રાગોગીની સંકલ્પના અને લક્ષણો

સંકલ્પના :


પુખ્તવયના લોકોએ માત્ર યોજના વિચારી જોઈએ. 1833માં  વિચાર આવેલો.

આ શબ્દ આપવાનો તેના પ્રણેતા જર્જ નોલસને જાય છે.

Peda- પાવડો, પ્રથા (મહાવરો, પુખ્ત)

સામાન્ય રીતે પુખ્તવયના લોકોમાં કલા અને વિજ્ઞાન શિક્ષણ તરીકે આપવામાં આવે છે.

એન્ડ્રાગોગી :

સામાન્ય રીતે પુખ્તવયના વ્યક્તિઓને શિક્ષણ આપવાની કલા અને વિજ્ઞાન એટલે એન્ડ્રાગોગી.
ગ્રીક ભાષામાં "તરૂણોને દોરી જવા"

શિક્ષણશાસ્ત્રનો મહાવરો – Pedagogy 

વ્યાખ્યા  :

પુખ્તવયના લોકોના આજીવન શિક્ષણને સમજવાનું (સૈદ્ધાંતિક રીતે) અને સહાય કરવાનું (મહાવરા) દ્વારા વિજ્ઞાન એટલે એન્ડ્રાગોગી.


પ્રૌઢ શિક્ષણના લક્ષણો :

  • અધ્યયનનું નિયંત્રણ ઇચ્છતો હોય છે.
  • પૂર્વાનુભવ અધ્યયન માટેનો મહત્વનો સ્ત્રોત છે.
  • પ્રૌઢના લોકો વાસ્તવવાદી હોય છે.
  • પ્રૌઢ લોકો પોતાના અધ્યયન માટે વધુ પ્રેરિત છે. (સ્વયંપ્રેરિત)
  • અધ્યયન એ પ્રાથમિકતા નથી.
  • ભણવા પ્રત્યેનો આત્મવિશ્વાસ ઓછો.
  • કોઈપણ પરિવર્તનનો વિરોધ કરવો.
  • પ્રૌઢ વિવિધતા જોવા મળે છે.
  • પ્રૌઢ ઉંમરને સરભર  હોવી જોઈએ.

Tuesday, 7 March 2017

એન્ડ્રાગોગીના નોલસે 4 સિદ્ધાંતો આપ્યા



 
 


 1984માં નોલસના 4 સિદ્ધાંતો પુખ્તવયના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે લાગુ કરવા સૂચવ્યું હતું.

1. પુખ્તવયના વિદ્યાર્થીઓ માટે આયોજન અને મૂલ્યાંકન માટેની સૂચના આપવાની જરૂર છે.

2. અનુભવ (ભૂલો સહિત) શીખવાની પ્રવૃત્તિઓ માટેનો આધાર પૂરો પાડે છે.

3. પુખ્ત વયના વિદ્યાર્થીઓ માટે મોટાભાગના વિષયોમાં તેમના વ્યક્તિગત જીવન અને નોકરી માટે તરત સુસંગતતાની અસર થાય છે જેમાં તેમને શીખવામાં રસ પડે છે.

4. પ્રૌઢ શિક્ષણ સમસ્યા કેન્દ્રિત સામગ્રીલક્ષી બદલે છે. (Kearsley, 2010)

Thursday, 2 March 2017

પ્રૌઢ શિક્ષણ તરીકે એન્ડ્રાગોગી

Andragogy માલ્કમ શેફર્ડ નોલસના (1913-1997)નામના અમેરિકન વ્યક્તિએ એન્ડ્રાગોગી માટે પ્રૌઢશિક્ષણ તરીકેનો શબ્દ ઉપયોગ કર્યો હતો. માલ્કમ નોલસના અનુસાર એન્ડ્રાગોગી એ કલા અને પ્રૌઢ શિક્ષણ વિજ્ઞાન છે. આમ એન્ડ્રાગોગી પ્રૌઢ શિક્ષણના કોઇપણ સ્વરૂપે ઉલ્લેખ કરે છે.

ગ્રીક ભાષામાંથી લેવાયેલો એન્ડ્રાગોગી શબ્દ શિક્ષણશાસ્ત્રની સરખામણીમાં જે ગ્રીક બાળકોના અગ્રણી, માણસનું નિર્માણ કરે છે તેવો અર્થ થાય છે. જોકે તેમણે નોંધ્યું છે કે આ શબ્દ પ્રાચીન ગ્રીક વખતે પ્રયોજાયો હતો. જ્યારે એલેકઝાન્ડર કેપ, જર્મન શિક્ષકે 1833માં મૂળ શબ્દ એન્ડ્રાગોગી તરીકે ઉપયોગમાં લીધો હતો.

નોલસની પ્રૌઢ શિક્ષણ માટે 5 ધારણાઓ
1980માં નોલસે પ્રૌઢ શિક્ષણમાં શિખનારાઓ (એન્ડ્રાગોગી) કે બાળક શીખનારાઓ (શિક્ષણશાસ્ત્ર) વિશે ધારણા અલગ હોય છે. તેવા લક્ષણોની 4 ધારણાઓ વિશે વાત કરી હતી. ત્યારબાદ 1984માં નોલસે 5મી ધારણા ઉમેરી હતી.

સ્વખ્યાલ
એક વ્યક્તિ તેના સ્વ ખ્યાલ મુજબ એક સ્વ-નિર્દેશિત મનુષ્ય હોવાની એક તરફ આશ્રિત વ્યક્તિત્વ હોવાનો ભાવ પરિપક્વ બનાવે છે.

પુખ્ત શીખનાર અનુભવ
એક વ્યક્તિમાં તે પરિપક્વતા કે અનુભવની વધતાં શિક્ષણ માટેનો સ્ત્રોત ભેગો થતો હોય છે.


શીખવાની તત્પરતા જાણો
કોઈપણ વ્યક્તિ તેના નવું જાણવાની વૃત્તિ કે નવું શીખવા માટે કેટલી તત્પર છે કેટલી પરિપક્વ છે તેમાં તેમની સામાજિક ભૂમિકા અને વિકાસની ગતિ અનુસાર હોય છે.


શીખવાનો અભિગમ
કોઇપણ વ્યક્તિ તેના સમય પરિપ્રેક્ષ્યમાં સીધો સંબંધ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમના મધ્યમાં રહેલી અનેક સમસ્યાઓનો સામનો કરે છે  છતાં અદ્યયન પ્રાપ્ત કરવા સક્ષમ બનતો હોય છે.  જે  શીખવાનો અભિગમ દર્શાવે છે કે વ્યક્તિમાં પરિપક્વતા અને અધ્યયન શક્તિ કેટલી છે.

પ્રોત્સાહન માટે શિક્ષણ
વ્યક્તિને આંતરિક પ્રોત્સાહન મળે, ધ્યેયની  સમજ પ્રાપ્ત કરી શકે તેવો શિક્ષણનો હેતુ રહેલો છે.

શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...

     એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા...